Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»બરોડા ડેરીના વહીવટનો કકળાટ શાંત થયો બરોડા ડેરી ચૂંટણી મામલે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
    Gujarat

    બરોડા ડેરીના વહીવટનો કકળાટ શાંત થયો બરોડા ડેરી ચૂંટણી મામલે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બરોડા ડેરીના વહીવટનો કકળાટ આખરે શાંત થયો છે. આજે પ્રદેશ ભાજપના આગેવાનો દ્વારા બરોડા ડેરીની ચુંટણી માટેની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં તમામ લોકોએ સુર મિલાવી પાર્ટી જે કહેશે એ શિરોમાન્યાનો રાગ આલાપ્યો હતો.
    બરોડા ડેરી ચૂંટણી મામલે આજે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપનું પ્રતિનિધિ મંડળની આગેવાનીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોરધન ઝડફિયા તેમજ સંગઠન મંત્રી રઘુનાથ હુંબલ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરાઈ હતી. જેમાં સંસદ સભ્યો, ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારોના પણ સેન્સ લેવામાં આવ્યા હતા. આખી આ સેન્સ પ્રક્રિયામાં ડભોઇના ડિરેક્ટરને પણ બોલાવાતા કુલ ૧૧ લોકોના સેન્સ લેવામાં આવ્યા હતા.
    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ બરોડા ડેરીમાં ચૂંટણી ટાણે ભારે બબાલ થઈ હતી. જેથી આ વખતે સેન્સ લેવાની પ્રક્રિયાનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું. બરોડા ડેરીને બદલે આજે સર્કિટ હાઉસ ખાતે સમગ્ર પ્રકિયા હાથ ધરાઇ હતી.

    સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, બધા ડિરેકટર સાથે રહેશે. હાલ ડેરીની ચૂંટણીને લઈને કોઈ જ વિવાદ નથી. પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે તેનો મેન્ડેડ આપશે. તો સાથે સાથે પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલ (મામા)ને પણ સેન્સ માટે બોલાવવામાં આવ્યા છે.
    આજે ભાજપ દ્વારા સાંસદો તેમજ તમામ ધારાસભ્યોને સેન્સ માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર અને સાંસદ રંજનબેન ભટ્ટ અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, તો સાથે જ ભાજપથી નારાજ થયેલા દિનુ મામા પણ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.

    જ્યાં તેમને જણાવ્યું હતું કે હું ૨૦૦૭ માં અપક્ષ લડીને ભાજપમાં જાેડાયો હતો. આજે પાછો ભાજપમાં આવી રહ્યો છું, સેન્સ આપવા બોલાવ્યો છે એટલે આવ્યો છું. ૧૧ ડિરેકટરને સાંભળવાના છે સેન્સ આવશે તે પ્રમાણે પાર્ટી નક્કી કરશે.
    ડેરીના પૂર્વ પ્રમુખ જી બી સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રદેશના આગેવાનોને મળીને ડિરેક્ટરોએ પોતાની વાત રજૂ કરી છે. જી.બી સોલંકી.એ સંકેત આપતા કહ્યું હતું કે, આ વખતે પણ ડેરીની પરંપરા મુજબ બિન હરીફ વરણી થશે. પાર્ટીના નક્કી કરેલા નામો વાડા મેન્ડેડને માન્ય રખાશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.