Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને હિંસા પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા
    India

    પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને હિંસા પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ ધનંજય ચૌબે તરીકે થઈ છે. તેઓ પુરુલિયા જિલ્લાના આદ્રા શહેર તૃણમુલના પ્રમુખ હતા.
    શુક્રવારે સવારે આ ઘટનાની પુષ્ટિ કરતા જિલ્લા પોલીસ કમિશ્નર અભિજિત બેનર્જીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે પુરુલિયાના આદ્રા પાંડે માર્કેટ નજીક પાર્ટી કાર્યાલયમાં ઘૂસ્યા બાદ હુમલાખોરોએ તૃણમૂલ નેતા અને તેના અંગરક્ષક પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ ધનંજય ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક બાંકુરાની મેજિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. ફાયરિંગની ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે.
    પોલીસ કમિશનર અભિજિત બેનરજીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે ગોળી ચલાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ જાેઈને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને હેલ્મેટ પહેરીને આવ્યા હતા.
    તૃણમૂલ નેતા પર છ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી છે. આ પછી હુમલાખોરો સ્થળ પર જ મોટર સાયકલ છોડીને ભાગી ગયા હતા. આ ઘટનામાં ધનંજયનો બોડીગાર્ડ શેખર પણ ઘાયલ થયો છે, જેને રઘુનાથપુર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
    સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ ૦.૩૨ કેલિબરની બુલેટથી ફાયરિંગ કર્યું હતું. સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે.
    ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને કેન્દ્રમાં રાખીને આઠ લોકો માર્યા ગયા છે, જેમાંથી ત્રણ લોકો તૃણમૂલ કોંગ્રેસના છે જ્યારે બાકીના પાંચ લોકો કોંગ્રેસ, સીપીઆઈ (એમ) અને આઈએસએફસાથે સંકળાયેલા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025

    Jyoti Malhotra Spying: ‘જ્યોતિ જાસૂસ’ કેસમાં પાકિસ્તાની મક્કમ યોજના: 5 મોટા ખુલાસાઓ

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.