Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»તેલંગણાના મુખ્યપ્રધાન કાફલા સાથે પંઢરપુર પહોંચ્યા કે. ચંદ્રશેખર રાવના શક્તિ પ્રદર્શન પર શરદ પવારે ચિંતા વ્યક્ત કરી
    India

    તેલંગણાના મુખ્યપ્રધાન કાફલા સાથે પંઢરપુર પહોંચ્યા કે. ચંદ્રશેખર રાવના શક્તિ પ્રદર્શન પર શરદ પવારે ચિંતા વ્યક્ત કરી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના પ્રમુખ અને તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ સોમવારે ૬૦૦ કારના કાફલા સાથે મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા ત્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવારે તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શરદ પવારે તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ એક વિશાળ કાફલા સાથે મહારાષ્ટ્રના પંઢરપુર શહેરમાં પહોંચવા સામે વાંધો ઊઠાવતા કહ્યું હતું કે ‘તાકાત બતાવવા’નો આ પ્રયાસ ચિંતાજનક છે.
    એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે જાે ચંદ્રશેખર રાવની મુલાકાત બંને રાજ્યો વચ્ચે સહકાર વધારવા પર કેન્દ્રિત હોત તો તે વધુ સારું હોત. મંગળવારની રેલીમાં ભગીરથ ભાલકે, જેઓ એનસીપીની ટિકિટ પર ૨૦૨૧ માં પંઢરપુર વિધાનસભા પેટાચૂંટણી લડશે, બીઆરએસમાં જાેડાશે તે વિશે પૂછવામાં આવતાં, પવારે કહ્યું હતું કે જાે કોઈ વ્યક્તિ પક્ષ છોડી દે તો ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું, ‘ભગીરથ ભાલકેને ટિકિટ આપ્યા બાદ અમને સમજાયું હતું કે અમારી પસંદગી ખોટી હતી, પરંતુ હું તેના વિશે વાત કરવા માંગતો નથી.
    આ અગાઉ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તમે તમારા રાજ્યની દરકાર રાખો, જ્યારે શિવસેનાએ પણ પ્રતિભાવ આપ્યો હતો. એટલું જ નહિ, તેલંગણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે રાજ્યમાં તેમની પાર્ટી, ભારત રાષ્ટ્ર સમિતિ માટે એક આધાર બનાવવાની મહત્વાકાંક્ષી યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો હોવાથી, એમપીસીસીના પ્રમુખ નાના પટોલેએ સોમવારે બીઆરએસને ભાજપની “બી ટીમ” ગણાવી હતી અને કહ્યું હતું કે તેની રાજકારણ પર કોઈ અસર નહીં થાય.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025

    Jyoti Malhotra Spying: ‘જ્યોતિ જાસૂસ’ કેસમાં પાકિસ્તાની મક્કમ યોજના: 5 મોટા ખુલાસાઓ

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.