Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ગુજરાત પર મેઘરાજાનું વ્હાલ પંચમહાલના જાંબુઘોડામાં ૩.૭ ઇંચ વરસાદ પડ્યો
    Gujarat

    ગુજરાત પર મેઘરાજાનું વ્હાલ પંચમહાલના જાંબુઘોડામાં ૩.૭ ઇંચ વરસાદ પડ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્‌ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે.
    ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. દરમિયાન, આજે સવારના રાજ્યના ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં ૩.૭ ઇંચ વરસાદ, ગોધરામાં ૩.૫ ઇંચ,વડોદરાના દેસરમાં ૨.૭ ઇંચ, આણંદમાં ૨.૪ ઇંચ, કાલોલ અને હાલોલમાં ૨-૨ ઇંચ વરસાદ પાડ્યો હતો.તે જ રીતે ઉમરેઠ અને ઠાસરામાં ૨-૨ ઇંચ વરસાદ અને સાવલી તથા ઘોઘંબામાં ૧.૭૫ ઇંચ વરસાદ તેમજ ધાનપુરામાં ૧.૫ ઇંચ, ગળતેશ્વર અને નડીયાદમાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો.
    વધુમાં પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ, છોટાઉદેપુરના બોડેલી, વડોદરાના ડભોઈ અને પંચમહાલના ઘોઘંબામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ, મધ્ય ગુજરાતમાં વરસાદની જાેરદાર એન્ટ્રી થઈ હતી. જ્યારે મેઘરાજા આજે સવારે પણ મધ્ય ગુજરાત પર મહેરબાન બન્યા હતા. સવારના છથી આઠ વાગ્યા વચ્ચે પંચમહાલના ગોધરામાં સાડા ત્રણ ઇંચ, કાલોલ-હાલોલમાં બે-બે ઇંચ, વડોદરાના દેસરમાં બે ઇંચ, સાવલીમાં પોણા બે ઇંચ, આણંદના ઉમરેઠમાં સવા ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં સવા ઇંચ, આણંદ અને ખેડાના ગળતેશ્વરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.