Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમ જાહેર ભારત-પાક વચ્ચે ૧૫ ઓક્ટોબરે જંગ
    Cricket

    ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમ જાહેર ભારત-પાક વચ્ચે ૧૫ ઓક્ટોબરે જંગ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા આઈસીસીવન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગેની ક્રિકેટ ચાહકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. આજે મુંબઈમાં યોજાયેલી આઈસીસીની ઈવેન્ટમાં મેન્સ વનડે ક્રિકેટ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસીએ વન-ડેવર્લ્ડ કપ ૨૦૨૩નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. વન-ડેવર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચથી શરુ થશે. પ્રથમ મેચ અમદાવાદના મેદાન પર જ રમાવાની છે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૯મી નવેમ્બર રમાશે. હવે વર્લ્ડ કપ શરુ થવાને ૧૦૦ દિવસ જ બાકી છે.
    વર્લ્ડકપ ૨૦૨૩માં રમાવનારી ભારતની તમામ મેચો
    8 October India vs Australia
    11 October India vs Afghanistan
    15 October India vs Pakistan
    19 October India vs Bangladesh
    22 October India vs New Zealand
    29 October India vs England
    2 November India vs Qualifier 2
    5 November India vs South Africa
    11 November India vs Qualifier 1
    આ પહેલા ગઈકાલે આઈસીસીમેન્સ વનડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ સ્પેસમાં કરવામાં આવ્યુ હતું. ટ્રોફીને જમીનથી ૧,૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. બાદમાં ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. બીસીસીઆઈસેક્રેટરી જય શાહે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.ટ્રોફી ટૂરના લોન્ચિંગ પ્રસંગે આઈસીસીચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું કે, આઈસીસીમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ બાબત છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે અને અમે શક્ય તેટલા વધુ લોકોને આ પ્રખ્યાત ટ્રોફીની નજીક જવાની તક આપવા માંગીએ છીએ. ટ્રોફી ટૂર ભારતમાં આજથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કરશે ત્યારબાદ ૪ સપ્ટેમ્બરે યજમાન દેશમાં ટ્રોફી પરત લાવવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.