Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»કેશોદની શાળાના રુમમાં ઘૂસ્યા પાણી કેશોદ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ
    Gujarat

    કેશોદની શાળાના રુમમાં ઘૂસ્યા પાણી કેશોદ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેશોદ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે. સવારથી બપોરના ૪ વાગ્યા સુધીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા હતા. તો બીજી તરફ કેશોદના નાની ઘંસારી ગામે પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી ગયા છે. શાળાના ઓરડા સુધી પાણી પહોંચી જતા સ્થિતિ વિકટ બની છે.

    ભારે વરસાદના કારણે શાળામાં પાણી ભરાયુ છે. વધુ વરસાદના કારણે શાળાના રૂમમાં વરસાદી પાણી ભરાતા બાળકોને શિક્ષણમાં વિક્ષેપ ઉભો થાય તેવી સ્થિતિ છે. નાની ઘંસારી પ્રાથમિક શાળાના મેદાન અને પાંચ રૂમમાં પાણી ઘુસી ગયા છે. તો બીજી તરફ આચાર્ય દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આચાર્યએ શાળાની દિવાલ તોડી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી છે. શાળાના આચાર્ય દ્વારા શિક્ષણાધિકારીને આ અંગે જાણ કરવામાં આવી છે. કેશોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસીને ટેલિફોનિક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે.

    કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા છે. નોંધનીય છે કે, મૌસમનો કુલ સાડા એકવીસ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જાેવા મળી રહી છે.

    આ ઉપરાંત જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં ૪ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

    રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રોડ સ્તાઓ પર ગોઠણ ડુબ પાણી વહેતા જાેવા મળી રહ્યા છે. જાણે શેરીઓમાં નદીઓ બની ગામમાંથી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખળીને નુકશાની પહોંચી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.