Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»એરફોર્સ અધિકારી અને તેમના પત્નીનું મૃત્યુ સુથરી બીચ ખાતે દરિયામાં ડૂબવાને કારણે બેના મોત
    Gujarat

    એરફોર્સ અધિકારી અને તેમના પત્નીનું મૃત્યુ સુથરી બીચ ખાતે દરિયામાં ડૂબવાને કારણે બેના મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે અને કેટલીક જગ્યાએ ડૂબી જવાને કારણે લોકોના મોત પણ થયા છે. એક આંકડા અનુસાર ૨૪ કલાકમાં ૧૨ જેટલા લોકોએ વરસાદને કારણે જીવ ગૂમાવ્યો છે. આ દરમિયાન કચ્છમાં એરફોર્સના અધિકારી અને તેમના પત્નીનું સુથરી બીચ ખાતે દરિયામાં ડૂબી જવાને કારણે મોત થયાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દંપતી બીચ ખાતે ફરવા ગયા હતા તે સમયે આ ઘટના બનતા સ્થાનિક તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શનિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે.

    શોધખોળ બાદ એરફોર્સ અધિકારી અને તેમના પત્નીને દરિયામાંથી બહાર કાઢીને બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. જાે કે, ત્યાં તેમને મૃત જાહેર કરાતા પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને ઘટના કેવી રીતે બની તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. હજી સુધી મૃતક દંપતીની ઓળખ જાહેર થઈ શકી નથી. શનિવારે માંગરોળ સ્થિત બાલાગામના બે યુવાનો ઓસા ગામેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોએ કેરબાના સહારે પાણીમાં તરીને એક યુવકને તો બચાવી લીધો હતો, જ્યારે બીજાને શોધી શકાયો નથી. જેથી તેની શોધખોળ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

    જામનગરમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પૂર આવતા અને ડેમોમાં નવા નીર આવ્યા છે. દરમિયાન શુક્રવારે પાણીમાં ડૂબવાથી ૪ના મૃત્યુ નોંધાયા હતા. આ દરમિયાન ગુલાબનગર નવનાલામાં પાણીના પૂરમાં તણાયેલા હાપામાં રહેતા રાજસ્થાની યુવકનો મૃતદેહ શોધી કઢાયો હતો. જ્યારે કાલાવડ તાલુાના ભલસાણા ગામમાં રહેતો નવધણ સોલંકી નામનો યુવક જામનગર તાલુકાના જૂના મોખાણા પાસે નદી ઉપરના પુલ ઉપરથી પસાર થતાં તણાયો હતો. જે બાદ ફાયરની ટીમે તેની શોધખોળ કરીને મૃતદેહ બહાર કાઢ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.