Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉત્તરાખંડમાં ૨૪ કલાકથી ભારે વરસાદ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થતા કેદારનાથ યાત્રા અટકાવવી પડી
    India

    ઉત્તરાખંડમાં ૨૪ કલાકથી ભારે વરસાદ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થતા કેદારનાથ યાત્રા અટકાવવી પડી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તરાખંડમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે કેદારનાથ યાત્રા હાલ પૂરતી અટકાવવા ર્નિણય લેવાયો છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી આગામી ઓર્ડર ન મળે ત્યાં સુધી સોનપ્રયાગ ખાતે યાત્રા અટકાવી દેવાઈ છે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી છે. આગળનો નવો ઓર્ડર ન મળે ત્યાં સુધી યાત્રા થંભાવી દેવામાં આવી છે. જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું કે ગૌરીકુંડ અને કેદારનાથ વચ્ચે આવેલા એરિયામાં સવારથી સતત વરસાદ ચાલુ છે જેના કારણે યાત્રાળુઓને આગળ જવા દેવામાં નથી.
    છેલ્લા આંકડા પ્રમાણે લગભગ ૫૮૨૮ યાત્રાળુઓએ સોનપ્રયાગથી કેદારનાથની યાત્રા સવારે શરૂ કરી હતી. ભારે વરસાદના કારણે આ યાત્રાધામ ઉપરાંત રાજ્યમાં બીજી ઘણી જગ્યાએ નુકસાન થયું છે.
    મુખ્યમંત્રી પુષ્કર ધામીએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે ક્યાંય પાણી ભરાય નહીં તે માટે યોગ્ય આદેશ આપવામાં આવ્યા છે. આ માટે જેસીબી મશીન પહેલેથી ગોઠવવામાં આવ્યા છે જેથી કોઈ જગ્યાએ પાણી ભરાય તો તેના માટે નિકાલનો રસ્તો કરી શકાય. છેલ્લા ચોવીસ કલાકમાં હરિદ્વારમાં ૭૮ એમએમ વરસાદ પડ્યો છે જ્યારે દહેરાદુનમાં ૩૩ મીમી અને ઉત્તરકાશીમાં ૨૭.૭ મીમી વરસાદ નોંધાયો છે.
    વરસાદના કારણે ગઈકાલે પણ યાત્રામાં અવરોધ સર્જાયો હતો અને છેલ્લા કેટલાક દિવસથી યાત્રાની ગતિ ધીમી પડી ગઈ છે. શ્રદ્ધાળુઓને મંદિર સુધી લઈ જવા અને પરત લઈ આવવા માટે આ વખતે ઘોડા અને ખચ્ચરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક ઘોડા મૃત્યુ પામ્યા છે.
    સોશિયલ મીડિયા પર યાત્રાના કેટલાક વાંધાજનક વીડિયો ફરતા થયા છે જેમાં ઘોડા અને ખચ્ચરો પર તેના માલિકો દ્વારા અત્યાચાર કરવામાં આવતો હોય તેવું જાેવા મળે છે. આ વિશે તંત્રને ફરિયાદ કરવામાં આવ્યા પછી તપાસ શરૂ કરવામાં આવી છે. જાેકે, ગયા વર્ષની તુલનામાં આ વખતે ઘોડા અને ખચ્ચરોનો મૃત્યુ આંક નીચો છે. પશુ ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ પશુઓ પર નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025

    Jyoti Malhotra Spying: ‘જ્યોતિ જાસૂસ’ કેસમાં પાકિસ્તાની મક્કમ યોજના: 5 મોટા ખુલાસાઓ

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.