Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદમાં મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ નિકોલમાં ભરચક રોડ પર ૬૫ વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા
    Gujarat

    અમદાવાદમાં મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ નિકોલમાં ભરચક રોડ પર ૬૫ વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં ૬૫ વર્ષીય સિનિયર સિટીઝનની હત્યા નીપજાવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સિનિયર સિટીઝનની હત્યા મામલે નિકોલ પોલીસે તપાસ હાથ ધરી છે.
    આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નિકોલ વિસ્તારમાં રહેતા મૃતક સિનિયર સિટીઝન શ્યામ સુંદર ચોરસિયાનો છે. મૃતક અને તેના પરિવારજનો છેલ્લા ઘણા વર્ષોથી ટિફિન સેવાનું કામ કરી રહ્યા છે. ગુનાની વિગત વાર વાત કરીએ તો રવિવારે રાત્રે ૯ વાગે મૃતક શ્યામ સુંદર ચોરસિયા ટિફિન આપવા માટે નીકળ્યા હતા. રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ હાથ ધરી હતી.
    હજુ તો પરિવારજન પોલીસને જાણ કરે તે પહેલા તો નિકોલ મંગલ પાંડે હોલ પાસે તેઓ લોહીલુહાણ હાલતમાં પડ્યા હોવાના સમાચાર મળ્યા હતા. ઘટના સ્થળ પર જઈને જાેયું તો સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારમાં ઘા ઝીંકેલા હતા.
    મૃતકના પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જાેકે હોસ્પિટલમાં હજાર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નિકોલ પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાની કલમ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    જાેકે હાલ તો નિકોલ પોલીસને પણ હત્યા કરવા પાછળનું કારણ જાણવા ન મળતાં ઘટનાની આજુબાજુ વિસ્તારના સીસીટીવી હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે. સાથે જ મૃતક સિનિયર સિટીઝનને અગાઉ અન્ય કોઈ સાથે ઝઘડો કે બોલાચાલી થઈ હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.