Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સ્કૂલોમાં સજા થોડી વધારે સખત હોય છે ટાર્ગેટ પુરો ન થતાં કંપનીએ કર્મીઓને કાચા કારેલા ખાવા માટે મજબૂર કર્યાં
    India

    સ્કૂલોમાં સજા થોડી વધારે સખત હોય છે ટાર્ગેટ પુરો ન થતાં કંપનીએ કર્મીઓને કાચા કારેલા ખાવા માટે મજબૂર કર્યાં

    Shukhabar DeskBy Shukhabar DeskJune 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કોઈ પણ કામને લોકો પાસે કરાવવા માટે રિવોર્ડ અથવા પનિશમેન્ટ પોલિસી અપનાવવામાં આવતી હોય છે. જાે કામ સમયસર સારી રીતે થઈ જાય તો, ઈનામ આપવામાં આવે છે અને જાે કામ ન થાય તો, તેના માટે સજાની પણ જાેગવાઈ રાખવામાં આવતી હોય છે. સ્કૂલોમાં સજા થોડી વધારે સખત હોય છે, પણ મોટા થવા પર કોઈ શારીરિક સજા આપવામાં આવતી નથી. જાે કે, કોર્પોરેટ સેક્ટરમાં સજાઓની વાત કરવામાં આવે તો, ચીનમાં આવું બહું જાેવા મળે છે. અહીં લોકોને સારી રીતે પરફોર્મ ન કરવા પર સજા આપવાના અજીબોગરીબ કિસ્સા અને વીડિયો સામે આવી ચુક્યા છે. ક્યારે તેમને એકબીજાને થપ્પડ મારવામાં આવે છે, તો ઘણી વાર કુતરાની માફક ગળામાં પટ્ટા બાંધીને ચલાવાના કિસ્સા પણ સામે આવી ચુક્યા છે. ફરી એક વાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, ચીનના જિયાંગશુ પ્રાંતમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ કંપની જીેડર્રે ડ્ઢટ્ઠહર્ટ્ઠ હ્લટ્ઠહખ્તષ્ઠરીહખ્તજરૈ ૈંહકર્દ્બિટ્ઠંર્ૈહ ર્ઝ્રહજેઙ્મંૈહખ્ત તરફથી ડઝનબંધ કર્મચારીઓને કાચા કારેલા ખાવા માટે મજબૂર કર્યા હતા. સજા તરીકે કર્મચારીઓને કાચા કારેલા ખવડાવવાના અમુક વીડિયો સામે આવ્યા છે. કંપની તરફથી તેને રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ સ્કીમ તરીકે બતાવામાં આવી રહી છે. અને કર્મચારીઓએ તેના પર સહમતિ પણ દર્શાવી હતી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, લોકો દર્દથી બચવા માગે છે. કડવા કારેલા કોઈ ખાવા નથી માગતા, ત્યારે આવા સમયે હવે તેઓ આકરી મહેનત કરશે. સોશિયલ મીડિયા પર આ સમાચાર સાઁભળીને લોકો દંગ રહી ગયા હતા. તેમણે કર્મચારીઓને પક્ષ લીધો હતો અને કહ્યું કે, આનાથી સારુ થાત કે તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હોત. ઘણા લોકોએ પોતાની સજાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે મરચા ખવડાવવા તથા ટોયલેટનું પાણી પીવડાવવા સુધીની આપવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian Railway: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટું એલાન: જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી તાત્કાલિક 3 સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે

    May 9, 2025

    ICAI CA Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે CA પરીક્ષા મુલતવી રાખવામાં આવી, icai.org પર સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ જુઓ

    May 9, 2025

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.