Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સમયથી વધારે રોકાનારા ધારાસભ્યો સામે કાર્યવાહી બિહારમાં સરકારી બંગલામાં વધુ સમય રોકાનારા ધારાસભ્યોને દંડ
    India

    સમયથી વધારે રોકાનારા ધારાસભ્યો સામે કાર્યવાહી બિહારમાં સરકારી બંગલામાં વધુ સમય રોકાનારા ધારાસભ્યોને દંડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિહારમાં નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકારના બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટે રાજ્યની અગાઉની એનડીએ સરકારમાં મંત્રી પદ પર રહેલા ભાજપના કેટલાક ધારાસભ્યો પર સરકારી બંગલામાં નક્કી સમયમર્યાદાથી વધુ સમય રોકાવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. જે ધારાસભ્યોને દંડ ફટકારાયો છે તેમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી (૧.૨૬ લાખ રૂપિયા દંડ), પૂર્વ મંત્રીઓ – આલોક રંજન (રૂ. ૧.૬૭ લાખ), રામસુરત કુમાર (રૂ. ૯૦૯૨૮), જીબેશ કુમાર (રૂ. ૧.૨૯ લાખ) અને જનક રામ (રૂ. ૬૫૯૨૨) સમાવેશ થાય છે.

    આ દરમિયાન કાર્યવાહીનો સામનો કરનારા પૂર્વ મંત્રીઓએ મુખ્યમંત્રી નીતિશ કુમાર, બિહાર બિલ્ડિંગ બાંધકામ વિભાગના મંત્રી અશોક ચૌધરી અને બિહાર વિધાનસભા સચિવાલયને પત્રો લખીને તેમના પર લાદવામાં આવેલા દંડને “અયોગ્ય” ગણાવ્યો હતો. તેમણે આ દંડ માફ કરવાની માગ પણ કરી હતી. જેડીયુના ટોચના નેતા નીતીશ કુમારે એનડીએ છોડીને આરજેડી સાથે મળીને રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બનાવ્યા બાદ ભાજપના મંત્રીઓને બંગલો ખાલી કરવા કહી દેવાયું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગના પૂર્વ મંત્રી આલોક રંજને કહ્યું કે “મારા પર લાદવામાં આવેલો ૧.૬૭ લાખ રૂપિયાનો દંડ સંપૂર્ણપણે અયોગ્ય છે.

    મને મકાન બાંધકામ વિભાગ દ્વારા નવેમ્બર ૨૦૨૨માં મંત્રીનો બંગલો (૩૩, હાર્ડિંગ રોડ) ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું…. પરંતુ મને ધારાસભ્ય માટે કોઈ વૈકલ્પિક મકાન આપવામાં આવ્યું ન હતું અને મેં આ અંગે વિભાગને જાણ પણ કરી હતી.’ તેણે કહ્યું, “જેમ કે મને વિભાગ દ્વારા નવું ઘર આપવામાં આવ્યું, મેં તરત જ મંત્રી બંગલો ખાલી કરી દીધો. મારા તરફથી કોઈ દોષ વિના થોડા દિવસ મંત્રીના બંગલામાં રહેવા બદલ દંડ અયોગ્ય છે. મેં મુખ્યમંત્રી અને મકાન બાંધકામ પ્રધાન અશોક ચૌધરીને દંડ માફ કરવા વિનંતી કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.