Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»શારજાહથી આવતા ૩ મુસાફરોને અટકાવ્યા સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસમાં મોટી કાર્યવાહી
    Gujarat

    શારજાહથી આવતા ૩ મુસાફરોને અટકાવ્યા સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કેસમાં મોટી કાર્યવાહી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરત એપરોર્ટ પર સોનાની દાણચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. એરપોર્ટ પર બે દિવસ પહેલા શારજગાંથી આવેલા ત્રણ મુસાફરો પાસે ૪૩ કિલોથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્ઢઇૈંએ તપાસ કરતા પુરૂષ શૌચાલયમાંથી ૪.૬૭ કિલો ગોલ્ડ મળી આવ્યું હતું. આ ઘટનામાં કસ્ટમ વિભાગની સંડોવણી સામે આવી છે. ત્યારબાદ ઈમિગ્રેશન પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે.ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ આપેલી માહિતી પ્રમાણે, ૭ જુલાઈએ ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ સુરત એરપોર્ટ પર શારજહાંથી આવી રહેલા ત્રણ મુસાફરોને દાણચોરી કરવા માટે સોનું લાવ્યા હોવાની શંકામાં અટકાવ્યા હતા. તેની તપાસ દરમિયાન બ્લેડ બેલ્ટમાં છુપાવેલા ૨૦ સફેદ કલરના પેકેજમાં ૪૩.૫ કિલો સોનું મળી આવ્યું હતું.

    આ ત્રણેય મુસાફરોની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. જાણવા મળ્યું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તહેનાત અધિકારીઓની મદદથી દાણચોરી માટે ભારતમાં સોનું લાવવામાં આવ્યું હતું. આ મુસાફરોનું સ્ક્રીનિંગ અને તપાસ ટાળવા માટે ટોયલેટમાં સોનાનો વિનિમય કરવાનું આયોજન હતું. ત્યારબાદ ડીઆરઆઈના અધિકારીઓ કાર્યવાહી કરે તે પહેલા શૌચાલયમાંથી સોનું પકડી પાડ્યું હતું. અહીંથી પેસ્ટ સ્વરૂપે ૪.૬૭ કિલો સોનું મળી આવ્યું હતું.સત્તાવાળાઓ દ્વારા સ્ક્રિનિંગ અને પરીક્ષા ટાળવા માટે ઇમિગ્રેશન પહેલાં સ્થિત શૌચાલયમાં સોનાનું વિનિમય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    જાેકે બાદમાં વધુ કાર્યવાહી થી પેસ્ટ સ્વરૂપમાં ૪.૬૭ કિલો સોનું વધુ પ્રાપ્ત થયું, જે ઇમિગ્રેશન ચેકપોઇન્ટની બાજુમાં પુરુષોના વોશરૂમમાં સંતાડી રાખવામાં આવેલું જેને ઝ્રૈંજીહ્લ દ્વારા ડ્ઢઇૈંને સોંપવામાં આવ્યું હતું.
    જાેકે પકડાયેલ મુદ્દામાલ અંદાજે ૪૮.૨૦ કિલો સોનાની પેસ્ટ હોવાનું સામે આવ્યું છે. જેની અંદાજીત કિંમત ૨૫.૨૬ કરોડની કિંમતનું ૪૨ કિલોથી વધુ સોનું મળ્યું હતું. ડ્ઢઇૈં એ હાલ કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ ૩ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં ઈમિગ્રેશનમાં નોકરી કરતા પીએસઆઈ પરાગ દવેની અધિકારીઓએ ધરપકડ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.