Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વરસાદ થતાં વર્ષોજૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં દુર્ઘટના સર્જાઇ ગોદરા વિસ્તારમાં ૬ મકાનો ધરાશાયી, બે બાળકો સહિત ૩ લોકોના મોત
    Gujarat

    વરસાદ થતાં વર્ષોજૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં દુર્ઘટના સર્જાઇ ગોદરા વિસ્તારમાં ૬ મકાનો ધરાશાયી, બે બાળકો સહિત ૩ લોકોના મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જેતપુરના ગોદરા વિસ્તારમાં ૬ મકાનો ધરાશાયી થવાની ઘટના બની છે. અહીં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ૬ વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. આ દુર્ઘટનામાં બે બાળકી અને એક વૃદ્ધનનું મોત નિપજ્યાની પુષ્ટી થઇ છે. ત્યાં જ કાટમાળ નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વર્ષોજૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે બાળકી અને એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. ત્યાં જ શોધખોળ માટે સ્થાનિકો અને પોલીસ જહેમત કરી રહી છે. બીજી તરફ આ ઘટનાની જાણાકારી મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા છે.જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ ૬ જેટલા જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. અંદાજે ૧૦૦ વર્ષ જુના ૬ મકાનો ધરાશાઈ થતા મકાનમાં હાજર ૬ વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી રહી છે.

    ત્યા જ ૨ નાના બાળકો સહિત ૩નું રેસ્ક્યુ હાથધરાયુ છે. ત્રણેય ઈજાગ્રસ્તોને હાલમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાેકે સરકારી હોસ્પિટલ માં સારવાર દરમ્યાન એક નાની બાળકીનું મોત નિપજ્યું છે. અન્ય ૨ ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. કાટમાળ નીચે ફસાયેલાઓની શોધખોળ માટે સ્થાનિકો અને પોલીસ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી રહી છે.

    આ ઘટનામાં આઠ વ્યક્તિને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. જેમાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા (ઉ.વ. ૫૦) અને બે બાળકી મેઘના અશોકભાઈ મકવાણા (ઉ.વ. ૧૦) અને સિદ્ધિ વિક્રમભાઈ શાસડા (ઉ.વ. ૭) વર્ષીયના મોત અને પાંચ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે.આ ઘટનાની જાણકારી મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત કરી અને મૃતકો પ્રત્યે સંવેદના બતાવી અને ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે અને વધુ જણાય તો રાજકોટ પણ સારવાર માટે મોકલવાની બાંહેધરી આપી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.