Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»મારી-મારીને અધમૂવો કરી નાખ્યો પત્ની ઘરેથી ભાગી જતા પતિએ મિત્ર પર શંકા રાખી અપહરણ કર્યું
    Gujarat

    મારી-મારીને અધમૂવો કરી નાખ્યો પત્ની ઘરેથી ભાગી જતા પતિએ મિત્ર પર શંકા રાખી અપહરણ કર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્ની ભાગી જતાં પતિએ પોતાના જૂના મિત્ર પર શંકા રાખી પહેલા તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં સૂમસાન જગ્યા પર લઈ જઈ ઢોરમાર મારી તેને લૂંટી લીધો હતો. પીડિત પ્રદીપસિંહે શનિવારે જમીન દલાલ તરીકે કામ કરતાં ભાઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાને ફોન કરીને બે ગાડીમાં સવાર શખ્સો તેનો પીછો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું, જેના પર તેને કેશલ એપાર્ટમેન્ટ પાસે જવા કહ્યું હતું. ધર્મેન્દ્રસિંહ ત્યાં પહોંચે તે પહેલા જ પોદાર સ્કૂલ પાસે તેણે કેટલાક લોકોની ભીડ જાેઈ હતી. ત્યાં જઈને તેણે પૂછતાં લાકડીઓ લઈને આવેલા આઠથી દસ શખ્સો ધાકધમકી આપી બળજબરીથી પ્રદીપસિંહને પોતાની ગાડીમાં બેસાડી રિંગ રોડ તરફ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ભાઈ પ્રદીપસિંહનું અપહરણ થતાં ધર્મેન્દ્રસિંહ ચિંતિત થયો હતો. તેણે તપાસ કરતાં આ કૃત્ય બીજા કોઈનું નહીં પરંતુ પહેલા ચાની કીટલી ચલાવતા અને તેના મિત્ર પ્રભાત રબારીનું હોવાનો ખુલાસો થયો હતો. પ્રભાતે તેના સાગરિતો સાથે મળીને પ્રદીપસિંહનું અપહરણ કર્યું હતું. ધર્મેન્દ્રસિંહ તરત જ ચાંદખેડા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પૂછપરછ માટે આરોપીના ઘરે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તે ફરાર થઈ ગયો હતો. થોડા કલાક બાદ ધર્મેન્દ્રસિંહને પ્રદીપસિંહનો ફોન આવ્યો હતો, જેમાં તેણે અપહરણકર્તાએ તેને પાટણ-રાધનપુર હાઈવે પણ છોડી દીધો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તરત જ ત્યાં પહોંચી હતી. જ્યાં તેમણે પ્રદીપસિંહને બ્રિજ નીચે એક રિક્ષામાં બેઠેલો જાેયો હતો અને તેના શરીર પર ઈજાના નિશાન હતા. પોલીસે પૂછપરછ કરતાં પ્રભાત રબારી, વિશાલ ઉર્ફે વીહો રબારી, લાલો રબારી, બલો રબારી, દેવજી રબારી, વિષ્ણુ રબારી, ભરત રબારી, અમરત રબારી તેમજ હમીર રબારીએ તેનું અપહરણ કર્યા બાદ ગાલ, આંખ, પેટ અને નાક પર મુક્કા માર્યા હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, પ્રભાતની પત્ની ઘરેથી ભાગી ગઈ હતી અને તે તેની સાથે ભાગી હોવાની તેને શંકા હતી. તેથી આરોપીએ તેને બંધક બનાવ્યો હતો અને દૂર ગાડી લઈને તેને માર માર્યો હતો. આરોપીઓએ માર મારવાની સાથે-સાથે પ્રદીપસિંહ પાસે રહેલા ૫૫ હજાર પણ લૂંટી લીધા હતા અને ત્યાંથી નાસી ગયા હતા. ચાંદખેડા પોલીસે આશરે ૧૪ શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. પીઆઈ વી.એસ. વણઝારાએ સ્થાનિક અખબાર નવગુજરાત સમય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘નવ લોકોના નામ સાથે અને અન્ય ૧૪ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ પાટણ અને બનાસકાંઠા છે. પ્રભાતની પત્ની ગુમ થતાં પ્રદીપસિંહ ભગાડી ગયો હોવાની તેને આશંકા હતી’.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version