Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»મકાન ધરાશાયી થતા ૨ વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો અમદાવાદના મીઠાખળીમાં મકાન ધરાશાયી થતા એકનું મોત
    Gujarat

    મકાન ધરાશાયી થતા ૨ વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો અમદાવાદના મીઠાખળીમાં મકાન ધરાશાયી થતા એકનું મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. જેને લઈને અનેક જગ્યા મકાન ધારાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આજે અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. જેને લઈને અનેક જગ્યા મકાન ધારાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આજે અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી રહી છે.

    આ મકાન ધરાશાયી થતા તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પરિવારના તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન કરી સતત ૩૦ મિનિટની શોધખોળ બાદ તેઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

    આ બાદ, તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ ધરાશાયી થનાર ધરાશાયી થયેલું ત્રણ માળનું મકાન વર્ષો જૂનું હતું. આ પહેલા પણ અમદાવાદના મણિનગરમાં આવેલા સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં અનેક લોકો કાટમાળમાં ફસાયા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમે સ્થળ પરથી ૩૦ લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version