Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»ભારતીય રિઝર્વ બેન્કે સર્ક્‌યુલર બહાર પાડ્યો બેન્કના કોઈ પણ કાર્ડને તમામ નેટવર્ક ઉપર છૂટની વિચારણા
    India

    ભારતીય રિઝર્વ બેન્કે સર્ક્‌યુલર બહાર પાડ્યો બેન્કના કોઈ પણ કાર્ડને તમામ નેટવર્ક ઉપર છૂટની વિચારણા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. બેંકે એક સર્ક્‌યુલર દ્વારા આ જાણકારી આપી હતી. આરબીઆઈદ્વારા લેવામાં આવેલા ર્નિણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે કોઈપણ કાર્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ નેટવર્ક માટે નહીં પરંતુ તમામ નેટવર્ક માટે કરવાની છૂટ આપવી જાેઈએ.
    આરબીઆઈએ એક સર્ક્‌યુલર જારી કર્યો છે. આ સર્ક્‌યુલરમાં બેંકે કહ્યું છે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડનો ઉપયોગ તમામ નેટવર્ક માટે થવો જાેઈએ. બેંકે આ માટે લોકોનો અભિપ્રાય પણ માંગ્યો છે.

    કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ વેપારીને આરામથી પેમેન્ટ કરી શકાય છે. કાર્ડ નેટવર્ક વેપારી અને કાર્ડધારક વચ્ચેના વ્યવહારોની સુવિધા આપે છે. કાર્ડ નેટવર્ક એક પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. કાર્ડ નેટવર્ક આ માટે ફી પણ વસૂલ કરે છે. કાર્ડ નેટવર્ક કંપનીઓમાં ચાર મુખ્ય ક્રેડિટ કાર્ડ નેટવર્ક માસ્ટરકાર્ડ, વિઝા, અમેરિકન એક્સપ્રેસ અને ડિસ્કવર છે. આમાંની બે કંપનીઓ કાર્ડ ઈશ્યુઅર પણ છે. આ એમેક્સ અને ડિસ્કવર છે. જ્યારે પણ કાર્ડ વડે પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે કાર્ડ નેટવર્ક દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા કઈ કઈ જગ્યાએ પેમેન્ટ કરી શકાય છે.

    જાે તમે ક્યારેય બે અલગ-અલગ ક્રેડિટ કાર્ડની સુવિધા જાેશો તો તમને ખ્યાલ આવશે કે જે સુવિધા એક કાર્ડ પર ઉપલબ્ધ છે તે અન્ય કાર્ડ પર ઉપલબ્ધ નથી. દરેક વેપારી કે દુકાનદાર તમામ પ્રકારની કાર્ડ પેમેન્ટ સ્વીકારવા સક્ષમ નથી. તમે આને એવી રીતે સમજી શકો છો કે ઘણી જગ્યાએ વિઝા કાર્ડ કામ કરતું નથી અને કેટલીક જગ્યાએ માસ્ટર કાર્ડ કામ કરતું નથી. આ કારણે કેન્દ્રીય બેંક ક્રેડિટ કાર્ડ પેમેન્ટને લઈને આ નિયમો લાવવા જઈ રહી છે.

    જાે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તો તેની સૌથી વધુ સકારાત્મક અસર રુપે કાર્ડ પર જાેવા મળશે. એવું માનવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક દેશમાં રુપે કાર્ડને પ્રોત્સાહન આપવા માટે આ ર્નિણય લાવી રહી છે. અમેરિકન વિઝા અને માસ્ટરકાર્ડ પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ તેમના કાર્ડ નેટવર્કમાં રૂપે કાર્ડની એન્ટ્રી નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    એશિયાડમાં શુટિંગમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો એશિયાડમાં ભારતે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

    September 29, 2023

    મોતની ખાણ ૪ મજૂરોને ભરખી ગઈ સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

    September 29, 2023

    ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

    September 28, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version