Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»પ.બંગાળની ચૂંટણી હિંસા પર ત્રિપુરાના સીએમના પ્રહાર અમને શાંતિપૂર્ણ ચૂંટણીમાં વિશ્વાસ છે : માણિક સા
    India

    પ.બંગાળની ચૂંટણી હિંસા પર ત્રિપુરાના સીએમના પ્રહાર અમને શાંતિપૂર્ણ ચૂંટણીમાં વિશ્વાસ છે : માણિક સા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ટીએમસીની ખૂબ ટીકા કરી હતી. સાહાએ રાજ્ય સરકારને સલાહ આપતા કહ્યું કે, તેઓ પહેલા એ શીખે કે, લોકતંત્ર શું છે અને કેવી રીતે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં આવે છે.

    માણિક સાહાએ જુલાઈ બાડીમાં એક સંગઠનાત્મક બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કહી હતી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ટીએમસી નેતાઓને પણ ત્રિપુરાની મુલાકાત લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ અહીં આવીને જાેવે કે કેવી રીતે શાંતિપૂર્ણ ચૂંટણી યોજી શકાય છે.

    સાહાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન લગભગ ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ ત્રિપુરામાં લોકશાહીના સાચા અર્થને સમજવા માટે અહીં આવવું જાેઈએ. વધુમાં સીએમ સાહાએ કહ્યું કે, અમે ગુંડાગીરીનો આશરો લીધા વિના શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં માનીએ છીએ. સાહાએ ચૂંટણી દરમિયાન હિંસામાં ભાજપના કાર્યકરોની હત્યાની નિંદા કરી હતી. ટીએમસી પર આરોપ લગાવતા માણિક સાહાએ કહ્યું કે, બંગાળમાં હિંસાનો ઈતિહાસ સામાન્ય લોકોને નિશાન બનાવવાથી પણ આગળ સુધી ફેલાયેલો છે. તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ હિંસામાં સામેલ છે. ભૂતકાળમાં જ્યારે તેઓએ નિર્દોષો અને અમારા પોતાના પક્ષના કાર્યકરોને નિશાન બનાવ્યા ત્યારે અમે માનવ જીવન પ્રત્યેની તેમની અવગણના જાેઈ છે.

    તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કેવી રીતે યોજી શકાય તે જાણવા ત્રિપુરા આવવું જાેઈએ. રાજ્યની ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીનો હવાલો આપતા સાહાએ કહ્યું કે, ત્રિપુરાએ કોઈપણ હિંસા અને અવરોધ વિના ચૂંટણી યોજીને એક મિસાલ કાયમ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્તિ મેળવવાનું નક્કી કરી લીધું છે ઃ મોદી

    September 26, 2023

    મોદીએ મધ્ય પ્રદેશમાં કાર્યકર્તા મહાકુંભને સંબોધન કર્યું કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સત્તા પર હતી ત્યારે તે બિમાર રાજ્ય હતું

    September 26, 2023

    પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ

    September 25, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version