Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»નેતાની ઓફિસમાં ફોન કરીને ધમકી અપાઈ મહારાષ્ટ્રના નેતા છગન ભૂજબળને જાનથી મારી નાખવાની ધમકી
    India

    નેતાની ઓફિસમાં ફોન કરીને ધમકી અપાઈ મહારાષ્ટ્રના નેતા છગન ભૂજબળને જાનથી મારી નાખવાની ધમકી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને અજીત કેમ્પના નેતા છગન ભુજબળને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમની ઓફિસમાં ફોન કરીને આ ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ભુજબળની ઓફિસે ફોન કરીને કહ્યું કે તેને ભુજબળને મારી નાખવાના આદેશ મળ્યા છે. પોલીસે આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજબળની ઓફિસમાં હાજર પીએએ ધમકીનો ફોન રિસીવ કર્યો હતો. આ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તેને ભુજબળને મારી નાખવાના આદેશ મળ્યા છે. ભુજબળની ઓફિસમાંથી મળેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી જેના બાદ પોલીસે પ્રશાંત પાટીલની મહાડ, પુણેથી ધરપકડ કરી હતી. સ્થાનિક માહિતી પ્રમાણે આરોપી કોલ્હાપુરનો રહેવાસી છે અને નાશિકથી પૂણે જતી વખતે તેણે ભુજબળની ઓફિસમાં ફોન કરીને ધમકી આપી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે તેણે ફોન કર્યો ત્યારે તે દારૂના નશામાં હતો. આ ધમકી મળતા જ ભુજબળ અને તેમની ઓફિસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ડીસીપી અમોલ જેંડેએ પ્રશાંત પાટીલની ધરપકડની પુષ્ટિ કરી છે.એનસીપી નેતા અજિત પવારે ૨ જુલાઈના રોજ તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન તેમની સાથે છગન ભુજબળ સહિત ૮ ધારાસભ્યોએ શપથ લીધા હતા. આ પછી એનસીપીને લઈને અજિત પવાર અને શરદ પવાર વચ્ચે તકરાર ચાલી રહી છે. બંને પક્ષોએ પોતાને વાસ્તવિક એનસીપી હોવાનો દાવો કર્યો છે. અજિત પવારનો દાવો છે કે તેમની પાસે એનસીપીના ૫૩માંથી ૪૦ ધારાસભ્યોનું સમર્થન છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ

    September 25, 2023

    ભારતના વળતા પ્રહારથી હવે કેનેડાના બદલાયા સૂર ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ છે ઃ કેનેડાના રક્ષામંત્રી

    September 25, 2023

    ૪ થી ૬ ઓક્ટોબરના રોજ યોજાશે બેઠક રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ યથાવત રહી શકે

    September 25, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version