Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નેતાની ઓફિસમાં ફોન કરીને ધમકી અપાઈ મહારાષ્ટ્રના નેતા છગન ભૂજબળને જાનથી મારી નાખવાની ધમકી
    India

    નેતાની ઓફિસમાં ફોન કરીને ધમકી અપાઈ મહારાષ્ટ્રના નેતા છગન ભૂજબળને જાનથી મારી નાખવાની ધમકી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને અજીત કેમ્પના નેતા છગન ભુજબળને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમની ઓફિસમાં ફોન કરીને આ ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ભુજબળની ઓફિસે ફોન કરીને કહ્યું કે તેને ભુજબળને મારી નાખવાના આદેશ મળ્યા છે. પોલીસે આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજબળની ઓફિસમાં હાજર પીએએ ધમકીનો ફોન રિસીવ કર્યો હતો. આ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તેને ભુજબળને મારી નાખવાના આદેશ મળ્યા છે. ભુજબળની ઓફિસમાંથી મળેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી જેના બાદ પોલીસે પ્રશાંત પાટીલની મહાડ, પુણેથી ધરપકડ કરી હતી. સ્થાનિક માહિતી પ્રમાણે આરોપી કોલ્હાપુરનો રહેવાસી છે અને નાશિકથી પૂણે જતી વખતે તેણે ભુજબળની ઓફિસમાં ફોન કરીને ધમકી આપી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે તેણે ફોન કર્યો ત્યારે તે દારૂના નશામાં હતો. આ ધમકી મળતા જ ભુજબળ અને તેમની ઓફિસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ડીસીપી અમોલ જેંડેએ પ્રશાંત પાટીલની ધરપકડની પુષ્ટિ કરી છે.એનસીપી નેતા અજિત પવારે ૨ જુલાઈના રોજ તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન તેમની સાથે છગન ભુજબળ સહિત ૮ ધારાસભ્યોએ શપથ લીધા હતા. આ પછી એનસીપીને લઈને અજિત પવાર અને શરદ પવાર વચ્ચે તકરાર ચાલી રહી છે. બંને પક્ષોએ પોતાને વાસ્તવિક એનસીપી હોવાનો દાવો કર્યો છે. અજિત પવારનો દાવો છે કે તેમની પાસે એનસીપીના ૫૩માંથી ૪૦ ધારાસભ્યોનું સમર્થન છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.