Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી
    India

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેજરીવાલના બંગલાના રિનોવેશનના ખર્ચનું કેગ ઓડિટ કરશે

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી છે. કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે કરાયેલા ખર્ચના કેગઓડિટ કરાશે. એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા ખર્ચને લઈને એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું. મીડિયા દ્વારા કરાયેલા આ સ્ટિંગ ઓપરેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં ૮-૮ લાખ રૂપિયાનો એક પડદો લગાવવામાં આવ્યો છે.
    દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના પુનઃનિર્માણમાં થયેલી ગેરરીતિઓ અને ઉલ્લંઘનોનું કેગવિશેષ ઓડિટ કરશે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દિલ્હીમાં ૬-ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઈન્સ પર આવેલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશનમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓનું વિશેષ ઓડિટ કરશે.
    મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં લગાવાયેલા કુલ પડદા પાછળ કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુલ ૨૩ પડદાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપે આ અંગે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર લગાવાયેલા માર્બલ વિયેતનામથી મંગાવવામાં આવ્યું હતું. આ ડિયોર પર્લ માર્બલની કિંમત એક કરોડ ૧૫ લાખ રૂપિયા બતાવાઈ હતી. કેજરીવાલના બંગલાના રિનોવેશન પાછળ ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત કહેવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.