Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»તળાવનુંપાણી પીધાં બાદ કોઇ નથી રહી શકતું જીવિત
    WORLD

    તળાવનુંપાણી પીધાં બાદ કોઇ નથી રહી શકતું જીવિત

    Shukhabar DeskBy Shukhabar DeskJune 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દુનિયામાં એવા અનેક રહસ્યમય સ્થળો છે, જેના રહસ્યોના ભેદને આજદિન સુધી નથી ઉકેલી શકાયા. કંઇક એવું જ ખતરનાક તળાવ છે. જેનું પાણી પીધાં બાદ કોઇ જીવિત નથી બચતું. એવી માન્યતા છે કે આ તળાવના પાણી પીધા બાદ થોડા સમયમાં જ વ્યક્તિનું મૃ્‌ત્યુ થઇ જાય છે. આ તળાવ ક્યાં આવેલી છે અને શું છે તેનું નામ જાણીએ. આ રહસ્યમય તળાવ દક્ષિણ આફ્રિકાના લિંપોપો પ્રદેશમાં છે.

    જે ફુન્દીજી તળાવના નામે પ્રચલિત છે, એવી માન્યતા છે કે, આ તળાવનું પાણી પીધા બાદ કોઇ જીવિત નથી બચતું તેમનું તરત જ મોત થઇ જાય છે. આ રહસ્ય પાછળ એક લોકવાયકા પણ જાેડાયેલી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, પ્રાચીન સમયમાં અહીંથી એક કોઢના રોગગ્રસ્ત મહિલા પસાર થઇ હતી.આ મહિલાએ અહીં રહેવા માટે આશ્રય માગ્યો હતો પરંતુ અહીંના લોકોએ તેને આશ્રય ન આપ્યો અને ભોજન પણ ન આપ્યું જેથી તે આ તળાવમાં સમાઇ ગઇ અને શ્રાપ આપતી ગઇ. એક માન્યતા એવી પણ છે કે., આ તળાવમાં સવાર સવારમાં ડ્રમનો અવાજ આવે છે.

    જાનવરો અને લોકોની ચીસો સંભળાય છે. તો એક માન્યતા એવી પણ છે કે અહીં આ ઝીલની રક્ષા તળાવમાં રહેતો એક અજગર કરે છે. તેને ખુશ કરવા દર વર્ષે આદિવાસીની કુંવારી યુવતીઓ અહીં નૃ્‌ત્ય કરે છે. આ તળાવાનું નિર્માણ ભુસ્ખલનના કારણે મુટાલી નદીનો પ્રવાહ રોકાઇ જવાથી થયું હતું. હજું એ રહસ્ય અંકબંધ છે કે., આ તળાવનું પાણી એકદમ સ્વચ્છ છે તો પછી તેને પીવાથી મૃત્યુ કેમ થઇ શકે. આપને જણાવી દઇએ કે આ તળાવનું રહસ્ય જાણવા માટે અનેક વખત કોશિશ થઇ પરંતુ દર વખતે સંશોધકોના હાથ નિષ્ફળતા જ લાગી.

    કહેવાય છે કે વર્ષ ૧૯૪૬માં આ તળાવાના પાણીની સચ્ચાઇ જાણવા માટે એક એન્ડી લેવિન નામનો એક શખ્સ આવ્યો હતો. તેને કેટલાક છોડ લીધા અને પાણીનો નમૂનો લીધો પરંતુ તે અચાનક રસ્તો જ ભૂલી ગયો. તેમની સાથે આવું એક વખત નહીં અનેક વખત થયું. એન્ડી લેવિને જ્યારે હાથમાંથી છોડ અને પાણી છોડી દીધું ત્યારબાદ તેને રસ્તો મળ્યો. જાે કે થોડા દિવસ બાદ તેમનું પણ મોત થઇ ગયું. તો આખરે આ તળાવનું પાણી આજે પણ લોકો માટે રહસ્ય જ છે. કેટલાક લોકો તળાવના પાણીથી થતાં મોતનું કારણ ગેસ ઉત્સર્જન બતાવે છે જાે કે તેમનો પણ કોઇ નક્કર પુરાવો હજુ સુધી નથી મળ્યો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Prediction 2025:1 જુલાઈ 2025: સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ – વૈશ્વિક અને માનસિક ઊથલ-પૂથલનો સંકેત?

    June 30, 2025

    International Yoga Day: સમગ્ર ભારતે યોગનો ઉત્સવ ઉજવ્યો, સૈન્યથી સમુદાય સુધી યોગની એકતા

    June 21, 2025

    Iran Israel War: જો ઈરાન યુદ્ધ હારે તો શું અમેરિકા તેના પર કબજો કરશે? એક વિશ્લેષણ

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.