Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»કર્ણાટકના બેલગામ જિલ્લાનો ચકચારી બનાવ જૈન મુની કામકુમાર નંદી મહારાજનું અપહરણ કરી તેમની હત્યા કરાઈ
    India

    કર્ણાટકના બેલગામ જિલ્લાનો ચકચારી બનાવ જૈન મુની કામકુમાર નંદી મહારાજનું અપહરણ કરી તેમની હત્યા કરાઈ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કર્ણાટકના બેલગામ જિલ્લામાં જૈન મુનિની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ બુધવારથી ગુમ હતા. ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિક્કોડી વિસ્તારનો છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને શંકાસ્પદની પૂછપરછ કરી હતી. તેઓએ જૈન મુનિની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે, આ કેસમાં અન્ય એક વ્યક્તિ સામેલ છે. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી છે.
    આચાર્ય શ્રી કમકુમાર નંદી મહારાજ છેલ્લા ૧૫ વર્ષથી બેલગાવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં સ્થિત નંદીપર્વત આશ્રમમાં રહેતા હતા. આ દરમિયાન ગુરુવારે આચાર્ય કમકુમારાનંદી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીમપ્પા ઉગરેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જૈન મુનિ ગુમ થઈ ગયા છે.

    ચિક્કોડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શંકાના આધારે બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જૈન મુનિ કમકુમાર નંદી મહારાજની હત્યા કરી નાખવામાં આવી છે. હાલ પોલીસે જૈન મુનિ કામકુમાર નંદી મહારાજના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે.
    આરોપીઓ પોલીસને સ્પષ્ટ માહિતી નથી આપ્યા રહ્યા કે, તેઓએ જૈન મુનિની હત્યા ક્યાં કરી અને તેમની લાશ ક્યાં ફેંકી? એક વાત સામે આવી રહી છે કે, જૈન મુનિના મૃતદેહના ટુકડા કરી કટકાબાવી ગામ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાશને કપડામાં લપેટીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઈનપુટના આધારે પોલીસે શુક્રવારે મધરાત સુધી કટકાબાવી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
    જૈન મુનિ કમકુમાર નંદીના મૃતદેહની શોધ આજે પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ આશ્રમમાંથી જૈન મુનિનું અપહરણ કરીને તેની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હાલ હિરેકોડી ગામના નંદી પર્વત આશ્રમમાં શોકનો માહોલ છે. સાવચેતીના ભાગરૂપે ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મોટા નુકસાનથી બચવા ફક્ત પાંચ જ દિવસ બચ્યા છે હાથમાં

    September 26, 2023

    આઈએસઆઈ સાથે બહાર આવ્યું કનેક્શન કેનેડાનાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પંજાબમાં ડ્રગ્સથી કમાણી

    September 26, 2023

    દીવ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version