Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»ઓડિશા ટ્રેન દુર્ઘટના પર મહિના બાદ ખુલાસો સીઆરએસે બાલાસોર ટ્રેન દુર્ઘટના માટે માનવીય ભૂલને જવાબદાર ગણાવી
    India

    ઓડિશા ટ્રેન દુર્ઘટના પર મહિના બાદ ખુલાસો સીઆરએસે બાલાસોર ટ્રેન દુર્ઘટના માટે માનવીય ભૂલને જવાબદાર ગણાવી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના એક મહિના પછી કમિશનર ઑફ રેલવે સેફ્ટી (સીઆરએસ) એ અકસ્માત માટે ‘માનવીય ભૂલ’ ને જવાબદાર ગણાવી છે. આ સાથે સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ૨૯૩ લોકોના મોત થયા હતા જ્યારે ૧,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) પહેલાથી જ આ દુર્ઘટનામાં ગુનાઈત ષડયંત્રની કોઈ શક્યતાની તપાસ કરી રહી છે. જાણકારોના મતે તપાસમાં કેટલાક અધિકારીઓની બેદરકારી સામે આવી છે. અધિકારીઓએ નિરીક્ષણ દરમિયાન પૂરતી સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું. ખાસ કરીને ત્રણ વર્ષ પહેલાં જ્યારે સુરક્ષાની ચિંતાઓને કારણે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ યોગ્ય પરીક્ષણ કર્યું ન હતું.

    અધિકારીઓએ કહ્યું છે કે માત્ર સિગ્નલિંગ વિભાગના લોકોએ જ સલામતી ધોરણોની અવગણના કરી ન હતી પરંતુ અન્ય લોકોએ પણ તેના પર ધ્યાન આપ્યું નહોતું. રેલ્વે મંત્રાલય આ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એક અધિકારીએ જણાવ્યું કે પહેલા કેન્દ્રીય ટીમ ભૂલને પકડવામાં નિષ્ફળ રહી અને બાદમાં વાર્ષિક તપાસમાં પણ તેને પકડી શકાઈ નહીં. તેથી એમ કહી શકાય કે તે એક વ્યક્તિની ભૂલનું પરિણામ નથી, ઓછામાં ઓછા ૫ લોકોએ ભૂલ કરી છે.

    અધિકારીએ કહ્યું કે રેલ્વે સીબીઆઈ તપાસમાં કોઈ પ્રભાવ કે દખલ ન થાય તેની ખાતરી કરવા માટે સીઆરએસ રિપોર્ટને સાર્વજનિક નહીં કરે. સીઆરએસરિપોર્ટના તારણો અને ત્યારબાદ ઝ્રમ્ૈં રિપોર્ટ ભારતીય રેલવેને તેની સુરક્ષા પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રેલ્વે સ્ટીલ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ ટેકનોલોજી અને સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાતી રેલ્વે સુરક્ષા પ્રણાલીઓ પર વિચાર કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ

    September 25, 2023

    ભારતના વળતા પ્રહારથી હવે કેનેડાના બદલાયા સૂર ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ છે ઃ કેનેડાના રક્ષામંત્રી

    September 25, 2023

    ૪ થી ૬ ઓક્ટોબરના રોજ યોજાશે બેઠક રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ યથાવત રહી શકે

    September 25, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version