Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»અ.મ્યુ. કો. ના વિપક્ષ નેતાનો આરોપ શહેરમાં ૨૬ સ્થળોએ ૬૭૧૮ મકાનો ભયજનક સ્થિતિમા હોવા છતા તંત્રને રિડેવલપ કરવામાં નથી રસ
    Gujarat

    અ.મ્યુ. કો. ના વિપક્ષ નેતાનો આરોપ શહેરમાં ૨૬ સ્થળોએ ૬૭૧૮ મકાનો ભયજનક સ્થિતિમા હોવા છતા તંત્રને રિડેવલપ કરવામાં નથી રસ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોના આવાસો મોટી સંખ્યામાં આવેલ છે તે કવાર્ટસ મુખ્યત્વે મ્યુનિ.સ્ટાફ માટે ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે જે તે સમયે બાંધવામાં આવેલ હતાં તે કવાર્ટસનું સમયાંતરે જરૂરી રીપેરીંગ નહી કરાતાં હાલ પૂર્વ ઝોનના ૭૬૯ આવાસો, મધ્ય ઝોનના ૧૫૦૪ આવાસો, દક્ષિણ ઝોનના ૩૧૯૭ આવાસો, ઉત્તર ઝોનના ૧૨૪૮ આવાસો મળી કુલ ૨૬જગ્યાએ કુલ ૬૭૧૮ કવાર્ટસો જર્જરીત અને ભયજનક સ્થિતિમાં છે.
    આ ક્વાટર્સ પૈકી મોટાભાગના ક્વાટર્સ ૫૦ થી ૬૦ વર્ષ જૂના છે. આ જર્જરીત અને ભયજનક આવાસમાં રહેતા લોકો પર જીવનું જાેખમ તોળાઈ રહ્યુ છે. અમદાવાદ મનપાના સત્તાધીશો માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે. આ પ્રકારની હીન માનસિક્તાને કારણે જ ગોમતીપુર હેલ્થ ક્વાટર્સની સીડી તૂટી ગઈ હતી. આ અગાઉ ઓઢવમાં સાંઈ ફ્લેટની આવાસ યોજનામાં એક બ્લોકની બાલ્કની તૂટવાની પણ ઘટના બની હતી.

    મ્યુનિ.કોર્પોના અધિકારીઓ તથા સત્તાધારી પક્ષને પોતાના મળતીયા કોન્ટ્રાકટરોને લાભ થાય તેવા હેલ્થ કવાર્ટસ કે આવાસ યોજનાને રી-ડેવલપ કરવામાં રસ હોય છે. જે કમનસીબ બાબત છે તંત્રના અધિકારીઓ જર્જરીત તથા ભયજનક કવાર્ટસમાં રહેતા પ્રજાજનોને સમજાવવામાં પણ કોન્ટ્રાકટરની ભાષા બોલે છે કવાર્ટસમાં રહેતા લોકોને લાભ કેમ થાય તેમ છે તે સમજાવવામાં તંત્ર ઉણું ‘ઉતરે છે જેને કારણે જર્જરીત તથા ભયજનક કવાર્ટસમાં રહેતા પ્રજાજનોનું જાનનું જાેખમ વધતું જાય છે.

    સત્તાધારી ભાજપના શાસકો સૌનો સાથ સૌનો વિકાસના ગાણા તો ગાય છે પરંતુ પોતાના જ સ્ટાફના લોકોની મુશ્કેલી તેમના ધ્યાને નથી આવતી. કુદરતી આપત્તિના સમયે ખડેપગે કામગીરી બજાવે છે.
    આ ક્વાટર્સમાં મોટા ભાગના ચોથા વર્ગના કર્મચારીઓ રહે છે. જેમા મોટાભાગના સફાઈ કર્મચારીઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓને શહેરના પૂજારીની ઉપમાં આપી હતી. પરંતુ માત્ર ઉપમા આપવાથી કે ગાણા ગાવાથી વિકાસ નથી થતો.

    તેના માટે ઈચ્છાશક્તિ અને નિયત પણ હોવી જાેઈએ.
    કોઈ અનિચ્છનિય ઘટના બને તે પહેલા જ જર્જરીત ક્વાટર્સમાં રહેતા લોકોને સારી રીતે સમાવી તેમને વધુને વધુ લાભ કેમ થાય તે બાબતનો વિચાર કરી તેમને સંમત કરી તમામ જર્જરીત તથા ભયજનક ક્વાટર્સનું તાકીદે રી-ડેવલપ કરવાની કાર્યવાહી તાકીદે હાથ ધરવા કોંગ્રેસે પક્ષની માગણી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version