Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદના ચાંગોદરમાં વરસાદે હાલ કર્યા બેહાલ વરસાદના લીધે ચાંગોદરમાં દુકાનોમાં ફરી વળ્યા પાણી
    Gujarat

    અમદાવાદના ચાંગોદરમાં વરસાદે હાલ કર્યા બેહાલ વરસાદના લીધે ચાંગોદરમાં દુકાનોમાં ફરી વળ્યા પાણી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં શુક્રવારે રાત્રે થયેલા ભારે વરસાદની અસર સવારે પણ જાેવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા વરસાદમાં પૂર્વ વિસ્તારમાં કેટલાક વિસ્તારો સવારે પણ જળબંબાકાર રહ્યા હતા. આવામાં ચાંગોદર વિસ્તારમાં લોકોના ઘરોમાં તથા દુકાનોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. ચાંગોદરામાં સવારના સમયે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. અમદાવાદમાં આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના ગાળામાં ૪-૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લામાં આવતા વિસ્તારોમાં પણ વરસાદ બાદ કપરી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચાંગોદરમાં ભારે વરસાદ બાદ લોકોએ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

    લોકો જ્યારે સવારે દુકાનો પર પહોંચ્યા ત્યારે તેમને આંચકો લાગ્યો હતો, કારણ કે રસ્તા પર ઘૂંટણ ડૂબે એટલા પાણી ભરાયા હતા ત્યારે દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા. આવામાં લોકોએ થઈ શકે તેટલો દુકાનોનો સામાન સુરક્ષિત કરીને પાણી બહાર કાઢવાના પ્રયાસો શરુ કર્યા હતા. વરસાદ ગયા બાદ પાણી ઓસરી રહ્યા છે પરંતુ શહેરના ઘણાં ભાગોમાં હજુ પણ ઠેરઠેર રસ્તાઓ પર વરસાદી પાણી જાેવા મળી રહ્યું છે. શહેર વિસ્તારમાં રાત્રે પાણી ભરાતા ઘણાં ભાગોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમારા સંવાદદાતા વિભૂ પટેલ ચાંગોદર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમણે અહીંનો ચિતાર જણાવ્યો હતો. ચાંગોદર વિસ્તારમાં ભારે વરસાદ બાદ દુકાનદારો સવારે દુકાન ખોલવી કે નહીં તેની અસમંજસમાં હતા પરંતુ જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે કપરી પરિસ્થિતિના દર્શન કર્યા હતા. ઘણીં દુકાનોમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે.

    ચાંગોદરામાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ફરી વળવાની ઘટના બની છે. દુકાનોની સાથે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો સુધી પાણી ફરી વળવાની ઘટના બની છે. જે દુકાનો રોડ પર આવેલી છે તેને વધુ અસર થઈ છે, કારણ અહીંથી સવારે ટ્રેક સહિતના મોટા વાહનો પસાર થવાથી દુકાનોમાંથી પાણી કાઢ્યા બાદ પણ સતત પાણી ઘૂસી રહ્યા છે. મોટા વાહનના ટાયર ડૂબી જાય તેટલા વરસાદી પાણી આ વિસ્તારમાં સવારે ભરેલા જાેવા મળ્યા હતા. સ્થાનિકોએ ચાંગોદર જીઆઈડીસી વિસ્તારમાં ભરાયેલા વરસાદના પાણીની સમસ્યા અંગે વાત કરતા જણાવ્યું કે, આવી સ્થિતિ અહીં દર વર્ષે થતી હોય છે પરંતુ આ વર્ષે વધુ કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. દુકાનદારોએ જણાવ્યું કે આ અંગે અંગે સ્થાનિક વહીવટી તંત્રને બને તેટલો જલદી નિકાલ લાવવા માટે રજૂઆત કરીશું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.