Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સદીઓથી રાહ જાેવાય છે એ ગુડ ન્યૂઝ મળશે ૬૪૭ વર્ષ આગળની દુનિયા જાેઈ આવ્યો છે શખ્સ
    India

    સદીઓથી રાહ જાેવાય છે એ ગુડ ન્યૂઝ મળશે ૬૪૭ વર્ષ આગળની દુનિયા જાેઈ આવ્યો છે શખ્સ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ભવિષ્યની વસ્તુઓ કહેવાનો દાવો કરે છે. કેટલાક લોકો એવા છે જેઓ પોતે દાવો કરે છે કે તેઓ સેંકડો વર્ષ આગળની દુનિયાને જાેયા પછી પાછા ફર્યા છે અને ભવિષ્યમાં બનવાની તમામ મહત્વપૂર્ણ બાબતોની આગાહી કરવાનું શરૂ કરે છે. આવા ઘણા લોકો હવે સોશિયલ મીડિયા પર તેમના વીડિયો પણ મૂકે છે. કેટલાક લોકો ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા વ્યક્તિને જાેઈને તેના જીવનમાં આવનારી ઘટનાઓનું વર્ણન કરવાનું શરૂ કરે છે. જાે કે, તમે બાબા વેન્ગા અને નોસ્ટ્રાડેમસ વિશે તો સાંભળ્યું જ હશે, જેમની વર્ષો પહેલા કરેલી ભવિષ્યવાણી આપણા જીવનમાં ઘણી વખત સાચી સાબિત થાય છે. જાેકે જેમ આ સમયે ઘણા લોકો કરે છે તેમ તેમણે ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કર્યો ન હતો. હવે આવા જ એક સમયના પ્રવાસીએ ૬૪૭ વર્ષ આગળની દુનિયા જાેઈને પરત ફર્યા હોવાનો દાવો કર્યો છે. હવે તે કહે છે કે ૬ મહિના પછી માણસને એવા સારા સમાચાર મળવાના છે, જેની સદીઓથી રાહ જાેવાઈ રહી હતી. ઈર્હ છઙ્મટ્ઠિૈષ્ઠ નામના એક સોશિયલ મીડિયા યુઝરે @theradianttimªraveller નામથી પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે અને તેના ૨૬ હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણે પોતાના એક વીડિયોમાં દાવો કર્યો છે કે તે ૨૬૭૧ નાં વર્ષથી આવ્યો છે.

    તેમણે કહ્યું છે કે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વિજ્ઞાનને અમરત્વનો સ્ફટિક મળશે. જે તેને સ્પર્શ કરશે, તે જીવનમાં અમર થઈ જશે. જાે કે, તેને સ્પર્શ કર્યા પછી, બધી લાગણીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. તેણે ક્રિસ્ટલની તસવીર પણ શેર કરી છે. ઘણા લોકોએ તેના દાવાને ફગાવી દીધો, પરંતુ તેને માનનારા કેટલાક લોકો કહે છે કે આવું ન થવું જાેઈએ. મનુષ્ય અમર ન થઈ શકે. નવાઈની વાત એ છે કે વ્યક્તિએ તારીખો સાથે પોતાની ભવિષ્યવાણી જણાવી છે. તેમનું કહેવું છે કે ૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ ૯.૮ની તીવ્રતાનો ભૂકંપ આવશે અને ૭૫૦ ફૂટની સુનામી ઉછળશે. આનાથી કેલિફોર્નિયાના દરિયાકિનારાનો મોટો ભાગ બરબાદ થઈ જશે. એટલું જ નહીં, ૨૨ મે, ૨૦૨૪ના રોજ એક લિક્વિડ બનાવવામાં આવશે, જેને સ્પર્શ કરવાથી તેમાં પડતો પડછાયો જીવંત થઈ જશે. વૈજ્ઞાનિકો તેનું આખું તળાવ બનાવશે, જેથી વધુ ટેસ્ટ કરી શકાય. તેને ધ ગ્રેટ મિરર લેક કહેવામાં આવશે. આવી અજીબોગરીબ આગાહીઓ બાદ મોટાભાગના લોકો આ વ્યક્તિને પૂછી રહ્યા છે કે તેના કેટલા દાવા સાચા પડ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.