Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»આર્થિક સંકટનો સામનો કરતી એરલાઈન્સ કંપનીને રાહત એરલાઈન્સ ગો ફર્સ્ટને ફ્લાઈટો શરૂ કરવા ડીજીસીએની મંજૂરી
    India

    આર્થિક સંકટનો સામનો કરતી એરલાઈન્સ કંપનીને રાહત એરલાઈન્સ ગો ફર્સ્ટને ફ્લાઈટો શરૂ કરવા ડીજીસીએની મંજૂરી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટને રાહત મળી છે. એવિએશન સેક્ટરના નિયમનકાર એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ગો ફર્લ્ડને ફ્લાઈટો શરૂ કરવા મંજુરી આપી દીધી છે. ડીજીસીએએ ગો ફર્સ્ટના રિઝોલ્યુશન પ્રોફેશનલ શૈલેન્દ્ર અજમેરાને પત્ર લખીને આ ર્નિણયની માહિતી આપી છે. ડીજીસીએએ જણાવ્યું કે, એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટે ૨૬ જૂનથી પોતાની સેવા ફરી શરૂ કરવાનો પ્લાન ડીજીસીએને સોંપ્યો હતો, જેના પર અભ્યાસ કરાયો છે અને આ અરજીને રેગ્યૂલટરે સ્વિકારી લીધો છે. ડીજીસીએએ કહ્યું કે, ગો ફર્સ્ટ ફરી શરતોના આધારે ફ્લાઈટ ઓપરેશન શરૂ કરી શકે છે. ડીજીસીએએ ગૉ ફર્સ્ટને શરતોમાં જણાવ્યું છે કે, એરલાઈન્સ પાસે હંમેશા ઓપરેટર સર્ટિફિકેટ હોવું જાેઈએ… ઉપરાંત ઓપરેશનમાં ઉપયોગમાં લેવાનારા એરક્રાફ્ટ ઉડ્ડયન કરવા માટે સારી સ્થિતિમાં હોવા જાેઈએ… હેન્ડલિંગ વગરના કોઈપણ ફ્લાઈટના એરક્રાફ્ટનો ઉપયોગ ન કરવામાં આવે.

    એક રિપોર્ટ અનુસાર ગો ફર્સ્ટ પર બેંકોનું કુલ ૬૫૨૧ કરોડ રૂપિયા દેવું છે. એરલાઈન્સે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને રૂ.૧૯૮૭ કરોડ, બેન્ક ઓફ બરોડાને રૂ.૧૪૩૦ કરોડ, ડોએચે બેંકને રૂ.૧૩૨૦ કરોડ અને આઈડીબીઆઈબેંકને રૂ.૫૮ કરોડ ચુકવવાના બાકી છે. ગો ફર્સ્ટના ધિરાણકર્તામાં સામેલ એક બેંકના ટોચના અધિકારીએ જણાવ્યું કે, બિઝનેસ પ્લાન અને ઓપરેશન ફરી શરૂ કરવા માટે એરલાઈન્સને લગભગ ૪૦૦ કરોડ રૂપિયા અપાશે. ગો ફર્સ્ટે બીજી મેના રોજ જાહેરાત કરી હતી કે, તેણે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી), દિલ્હીમાં અરજી દાખલ કરી છે. એરલાઇનના સીઈઓ કૌશિક ખોનાએ આ માહિતી આપી હતી. અગાઉ કંપનીએ કહ્યું હતું કે, ભંડોળની અછતને કારણે કંપનીએ ૩ અને ૪ મેની ફ્લાઈટ્‌સ રદ કરી રહી છે. એરલાઇન કંપનીનું કહેવું છે કે, ખામીયુક્ત એન્જિન (પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન)ના સપ્લાયને કારણે તેની નાણાકીય સ્થિતિને અસર થઈ છે. ખરાબ એન્જિનોના કારણે કંપનીના ઘણા વિમાનો ઉડી શકવામાં સક્ષમ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મોટા નુકસાનથી બચવા ફક્ત પાંચ જ દિવસ બચ્યા છે હાથમાં

    September 26, 2023

    આઈએસઆઈ સાથે બહાર આવ્યું કનેક્શન કેનેડાનાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પંજાબમાં ડ્રગ્સથી કમાણી

    September 26, 2023

    દીવ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version