વિરાટ કોહલીના કપ્તાન બન્યા પછી ભારતીય ટેસ્ટ ટીમ વર્લ્ડમાં બેસ્ટ બની ગઈ છે. કોહલીને પહેલીવાર 9 ડિસેમ્બર 2014ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે કપ્તાની સોંપવામાં આવી હતી. ભારત આ મેચ 48 રને હારી ગયું હતું, પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં ટીમે 66 ટેસ્ટમાં સૌથી વધુ 39 ટેસ્ટ જીતી છે. બીજા નંબરે ઇંગ્લેન્ડ છે, જેણે 81માંથી 38 ટેસ્ટ જીતી છે.
ટીમ ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 2-1થી હરાવ્યું હતું. તે પછી હવે હોમ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે 2-1ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ 4 માર્ચે અમદાવાદમાં રમાશે. આ મેચ જીતે અથવા ડ્રો કરે તો ટીમ ઇન્ડિયા ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.
ધોનીની નિવૃત્તિ પછી કોહલીને રેગ્યુલર કપ્તાની મળી
ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 4 ટેસ્ટની શ્રેણીની પહેલી મેચમાં રેગ્યુલર કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આરામ લીધો હતો. ત્યારે કોહલીને કપ્તાની સોંપવામાં આવી હતી. આ મેચ ભારત હારી ગયું હતું. આગામી બે ટેસ્ટમાં ધોનીએ કપ્તાની કરી, જેમાંથી એકમાં હાર મળી અને એક ટેસ્ટ ડ્રો રહી હતી.
ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે 26 ડિસેમ્બર 2014ના રોજ કરિયરની અંતિમ ટેસ્ટ રમી હતી. તે પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. અંતિમ ટેસ્ટમાં કોહલીએ કપ્તાની કરી અને આ મેચ ડ્રો રહી હતી. ભારત 0-2થી શ્રેણી હાર્યું. ધોનીની નિવૃત્તિ પછી કોહલીને રેગ્યુલર કપ્તાન બનાવવમાં આવ્યો હતો.
કોહલી સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન
કોહલી 35 જીત સાથે સૌથી સફળ ભારતીય કપ્તાન છે. તેના પછી મહેન્દ્રસિંહ ધોનીનો નંબર આવે છે, જેની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ 60માંથી 27 ટેસ્ટ જીતી છે. ત્રીજા નંબરે સૌરવ ગાંગુલી છે, જેની કપ્તાનીમાં ભારત 49માંથી 21 ટેસ્ટ જીત્યું છે.
વિરાટ કોહલીના કપ્તાન બન્યા પછી ભારતીય ટેસ્ટ ટીમ વર્લ્ડમાં બેસ્ટ બની ગઈ છે. કોહલીને પહેલીવાર 9 ડિસેમ્બર 2014ના રોજ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે કપ્તાની સોંપવામાં આવી હતી. ભારત આ મેચ 48 રને હારી ગયું હતું, પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં ટીમે 66 ટેસ્ટમાં સૌથી વધુ 39 ટેસ્ટ જીતી છે. બીજા નંબરે ઇંગ્લેન્ડ છે, જેણે 81માંથી 38 ટેસ્ટ જીતી છે.
ટીમ ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 2-1થી હરાવ્યું હતું. તે પછી હવે હોમ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે 2-1ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ 4 માર્ચે અમદાવાદમાં રમાશે. આ મેચ જીતે અથવા ડ્રો કરે તો ટીમ ઇન્ડિયા ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.
ધોનીની નિવૃત્તિ પછી કોહલીને રેગ્યુલર કપ્તાની મળી
ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 4 ટેસ્ટની શ્રેણીની પહેલી મેચમાં રેગ્યુલર કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ આરામ લીધો હતો. ત્યારે કોહલીને કપ્તાની સોંપવામાં આવી હતી. આ મેચ ભારત હારી ગયું હતું. આગામી બે ટેસ્ટમાં ધોનીએ કપ્તાની કરી, જેમાંથી એકમાં હાર મળી અને એક ટેસ્ટ ડ્રો રહી હતી.
ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે 26 ડિસેમ્બર 2014ના રોજ કરિયરની અંતિમ ટેસ્ટ રમી હતી. તે પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. અંતિમ ટેસ્ટમાં કોહલીએ કપ્તાની કરી અને આ મેચ ડ્રો રહી હતી. ભારત 0-2થી શ્રેણી હાર્યું. ધોનીની નિવૃત્તિ પછી કોહલીને રેગ્યુલર કપ્તાન બનાવવમાં આવ્યો હતો.