Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દાળના ભાવને અંકુશમાં લેવા સરકારના પગલા સરકાર ભારત દાળના નામથી ૬૦ રૂપિયે કિલો ચણાદાળ વેચશે
    India

    દાળના ભાવને અંકુશમાં લેવા સરકારના પગલા સરકાર ભારત દાળના નામથી ૬૦ રૂપિયે કિલો ચણાદાળ વેચશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ડુંગળી અને ટામેટાના વધતા ભાવ બાદ હવે સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે એક્શન મોડમાં છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે દેશમાં ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો ર્નિણય લીધો છે. સરકારે ચણાની દાળને ‘ભારત દાળ’ નામથી બજારમાં ઓછી કિંમતે વેચવાનો ર્નિણય લીધો છે. જેમાં સરકાર ૬૦ રૂપિયા પ્રતિ કિલોના દરે ચણા દાળ વેચશે. જ્યારે ૩૦ કિલોનું પેકેજ ૫૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. નાફેડ દ્વારા દિલ્હી-એનસીઆરમાં ચણાની દાળ ઓછી કિંમતે વેચવામાં આવી રહી છે.આ ઉપરાંત એનસીસીએફ, કેન્દ્રીય ભંડાર અને મધર ડેરીના સફળ કેન્દ્રોમાં પણ ભારત દાળનું વેચાણ કરવામાં આવશે. 

    આ બાબતે માહિતી આપતાં કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, દેશમાં સસ્તી ચણાની દાળ ભારત દાળના બ્રાન્ડ નામથી વેચવામાં આવશે. આમાં સરકાર સામાન્ય લોકોને સસ્તી ચણાની દાળ આપશે. આ દાળ દેશભરમાં નાફેડના ૭૦૩ સ્ટોર પર વેચવામાં આવશે. સરકાર તેની પાસે પડેલા ચણાના સ્ટોકને ચણાની દાળમાં ફેરવીને ગ્રાહકોને રાહત આપવાની કવાયતમાં લાગેલી છે.

    ચણાની દાળ ભારતમાં સૌથી વધુ ઉત્પાદિત કઠોળ છે. લોકો સવારના નાસ્તાથી લઈને રાત્રિના ભોજનમાં ચણાની દાળનું સેવન કરે છે. આ ઉપરાંત આ કઠોળ દ્વારા ચણાનો લોટ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ નાસ્તો,નમકીન અને મીઠાઈઓ બનાવવામાં થાય છે. આવી સ્થિતિમાં ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ રાજ્યોમાં મોટા પાયે તેનું સેવન કરવામાં આવે છે.

    ચણા દાળ પહેલા સરકારે ટામેટાંના વધતા ભાવને જાેતા સસ્તા દરે ટામેટાં વેચવાનો ર્નિણય લીધો છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં સસ્તા ટામેટાં વેચાઈ રહ્યાં છે. તે જ સમયે, નાફેડ પણ બિહાર, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ કરી રહ્યું છે.
    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમની પાર્ટીને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નથી. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષના પ્રમુખ અને પક્ષના નેતાઓ જૂના સાથીઓ સાથે સમાધાન કરવા માટે રાજ્ય-રાજ્યમાં દોડી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.