Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સંગઠન પ્રધાન આરએસએસના પૂર્વ પ્રભારી મદન દાસ દેવીનું ૮૧ વર્ષની વયે નિધન
    India

    અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સંગઠન પ્રધાન આરએસએસના પૂર્વ પ્રભારી મદન દાસ દેવીનું ૮૧ વર્ષની વયે નિધન

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રભારી અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સંગઠન પ્રધાન મદન દાસ દેવીનું આજે વહેલી સવારે બેંગલુરુમાં ખાતે વૃદ્ધાવસ્થાને કારણે નિધન થયું છે. ઉમંરના ૮૧માં વર્ષે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. એક વર્ષ પહેલાં જ તેમના પર હરિદ્વારના પાલમપુરની આયુર્વેદીક સંસ્થા દ્વારા પંચકર્મ પણ કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે એટલે કે ૨૫મી જુલાઇના રોજ સવારે ૧૧ વાગે પુણેમાં કરવામાં આવશે. મદન દાસ દેવીએ બાળપણથી જ પોતાનું જીવન રાષ્ટ્રસેવા અને સંઘના કાર્યમાં સમર્પીત કર્યું હતું. જીવનના લગભગ ૭૦ વર્ષ તેમણે સંઘના પ્રચાર માટે કામ કર્યું. સંઘથી લઇને ભાજપ સુધી તેમણે રાજકીય નિરિક્ષક તરીકે કામ કર્યું હતું. વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન પ્રધાન તરીકે કામ કરતી વખતે તેમણે અનેક નેતા બનાવ્યા. અરુણ જેટલી, અનંત કુમાર, સુસીલ મોદી, શિવરાજ સિંહ ચવ્હાણ, ધર્મેન્દ્ર પ્રધાન, વિનોદ તાવડે જેવા અનેક ભાજપના નેતાઓએ તેમની પાસેથી સમાજકાર્ય અને સંગઠનનો અભ્યાસ કર્યો છે.

    કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ પણ મદન દાસ દેવીને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં લખ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘના વરિષ્ઠ પ્રચારક આદરનીય મદન દાસ દેવીજીના નિધનના સમાચાર સાંભળીને બહૂ દુઃખ થયું છે. હું વિદ્યાર્થી હતો ત્યારથી મને મદન દાસજી સાથે કામ કરવાનો અને તેમની પાસેથી સંગઠન કૌશલ્ય શીખવાનો મોકો મળ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ પણ તેમણે સંઘના પ્રચારક તરીકે પોતાની જાતને દેશ અને સમાજને સમર્પીત કરી કામ શરુ કર્યું. સ્ટુડન્ટ કાઉન્સીલના માધ્યમથી તેમણે દેશના કરોડો યુવાનોને પ્રેરણા આપી. તેમના નિધનથી દેશે એક દિગ્ગજ ગુમાવ્યો છે. મદનદાસજીનું કાર્ય, તેમના મુલ્યો મારા જેવા કરોડો કાર્યકર્તાઓને હંમેશા પ્રેરણા આપતાં રહેશે. ભગવાન તેમની આત્માને શાંતી આપે. ગડકરીએ આવું ટ્‌વીટ કરી શ્રદ્ધાંજલી આપી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.