Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»પિતાનું મોત, આરોપી પુત્ર ફરાર નજીવી બાબતે બોલાચાલી થતાં પુત્રએ પિતાને ઝીંકી દીધા દાંતરડાના ઘા
    Gujarat

    પિતાનું મોત, આરોપી પુત્ર ફરાર નજીવી બાબતે બોલાચાલી થતાં પુત્રએ પિતાને ઝીંકી દીધા દાંતરડાના ઘા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોટાદ જિલ્લામાંથી ગઇકાલે એક ગુનાખોરીની વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં પિતા પુત્રની લડાઇમાં પુત્રએ પોતાના સગા બાપને મોતને ઘાટ ઉતારી દીધો છે, આ અંગે મૃતકના ભત્રીજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, હાલમાં પોલીસ પકડથી આરોપી દુર છે. મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી, આ બોલાચાલી બાદ પીપળ ગામના જ પરિવારમાં મોતનો માતમ છવાઇ ગયો, કેમ કે ખુદ પુત્રએ પોતાના પિતાને દાંતરડાના ઘા મારી દીધા અને આ કારણે તેના પિતા મોતને ઘાટ ઉતરી ગયા હતા. ખાસ વાત છે કે, પીપળ ગામમાં રહેતો આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને કામ-મજૂરી અર્થે અહીં આવ્યો હતો, અહીં આ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. પિતાની હત્યા કર્યા બાદ આરોપી પુત્ર ફરાર થઇ ગયો હતો. હત્યાની ઘટના અંગે મૃતકના ભત્રીજાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની પકડવાની અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ૨૦ વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે.

    કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીએ તારીખ ૨૭ જુલાઈના રોજ આપઘાત કર્યો હતો. જાે કે, મૃતક યુવતી દ્રારા લખવામાં આવેલી સુસાઇડ નોટ બહાર આવતા તારીખ ૨ ઓગષ્ટના રોજ રાણપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. ધોરણ ૮ માં અભ્યાસ કરતી હતી તે સમયથી લઈ કોલેજ સુધી હેરાન કરતા વિજય નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાની હકિકત સામે આવી છે. વિજય નામનો આ યુવાન મૃતક યુવતીના ઘર નજીક જ રહેતો હોય જેના કારણે અવાર નવાર તે તેમના ઘરે પણ આવતો જતો હતો. વિજય દ્રારા વારંવાર પ્રેમ કરવા દબાણ કરતો હતો. અંતે યુવતીએ કોલેજ સમયે પ્રેમનો સ્વીકાર કર્યો હતો. જાે કે, પ્રેમ બાદ યુવક વિજયની અન્ય જગ્યાએ સગાઈ થતા કાયમ સાથ આપવાની વાત કરતા વિજયની સગાઈને લઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ સુસાઇડ નોટ સાથે મૃતક દ્રારા લખવામાં આવેલ વિગત બહાર આવતા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્રારા કલમ ૩૦૬ મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    કોલેજના પ્રોફસર પર યૌન શોષણનો મુદ્દો રાજકોટની એમ.જે.કુંડલિયા કોલેજના પ્રો.જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરાયા

    September 26, 2023

    સ્નેપચેટ પરથી ઓનલાઈન ગાંજાે મંગાવતો પોલીસ કર્મચારીનો પુત્ર જ ડ્રગ્સ સપ્લાયર નીકળ્યો

    September 24, 2023

    સુરતમાં વિદેશી હીરા કંપનીની એન્ટ્રી સુરતમાં સાઉથ કોરિયન કંપનીએ કર્યું મોટું રોકાણ

    September 24, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version