વરિયાળી મોટાપા માટે એક અસરકારક પ્રાકૃતિક ઉપચાર છે. વરિયાળીના બીજનું પાણી શરીરના પ્રાકૃતિક રીતે ચરબીનો નાશ કરવાની એક શાનદાર રીત માનવામાં આવે છે. ફેનલ સીડ્સ ફાઇબરનો એક સમૃદ્ધ સ્ત્રોત છે, તેમાં વિભિન્ન પોષક તત્ત્વ અને એન્ટી-ઑક્સિડેન્ટ હોય છે. વરિયાળીના બીજનું પાણી પીવાથી તૃપ્તિમાં સુધારો કરવો, ચયાપચયની પ્રક્રિયામાં મદદ મળી શકે છે. વરિયાળીના બીજ શરીરમાં પોષક તત્ત્વોના શોષણમાં સુધારો કરીને જમા ચરબીનો નાશ કરવામાં મદદ કરી શકે છે.
એક ગ્લાસ પાણીમાં 1 ટીસ્પૂન વરિયાળીના બીજ નાંખો. તેને આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ખાલી પેટ પહેલા પી લો.
વરિયાળીનું પાણી પીવાના લાજવાબ ફાયદા
જો તમને પાચન સંબંધિત કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો દરરોજ વરિયાળીના બીજનું પાણી પીવાનું શરૂ કરી દો. ગેસ્ટ્રિક એન્જાઇમોના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, વરિયાળીના બીજ તમામ પાચન સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે. આ પાચનક્રિયાને હેલ્ધી બનાવી રાખે છે. આ કબજિયાત, અપચો અને સોજાને પણ ઠીક કરી શકે છે.
પોટેશિયમની સાથે પેક, વરિયાળીના બીજ તમારા શરીર માટે મહાન છે. તે તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ તમારા શરીરની હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે લોકો હાઇ બ્લડ પ્રેશરથી પરેશાન થાય છે તેમને દરરોજ ફેનલ વોટરનું સેવન કરવુ જોઇએ.
શું તમે જાણો છો કે વરિયાળીનું પાણી તમારી આંખોની રોશની વધારવામાં મદદ કરી શકે છે. વરિયાળીના બીજમાં વિટામિન એ હોય છે જે તમારી આંખો માટે ખૂબ જ સારું હોય છે. દરરોજ વરિયાળીનું પાણી પીવાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય સારું બનાવી શકાય છે.
વરિયાળીના બીજમાં રહેલ આવશ્યક તેલ શરીરમાંથી હાનિકારક ઝેરીયુક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને આ તમારા લોહીને સાફ કરવામાં મદદ કરે છે. વરિયાળીની ચા પીવાથી તમારા શરીરને વધારે પોષક તત્ત્વો શોષી લેવામાં મદદ મળી શકે છે.
વરિયાળી બીજનું પાણી અથવા ચા પીવી તમને પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ તમને રજોનિવૃત્તિના લક્ષણોથી છૂટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ઘણી બધી મહિલાઓ અનિયમિત પીરિયડ્સની સમસ્યાનો સામનો કરે છે અને વરિયાળીનું બીજ અનિયમિત પીરિયડ સાઇકલથી પણ છૂટકારો મેળવવામાં મદદરૂપ થાય છે.
વરિયાળીના બીજ વાસ્તવમાં તમારા શરીરને વિભિન્ન પ્રકારના કેન્સર જેવા પેટ, ત્વચા અથવા સ્તન કેન્સરથી બચાવવામાં મદદ કરી શકે છે. તેઓ પોતાના શરીરમાંથી મુક્ત કણોને દૂર કરે છે જે કેન્સરનું મુખ્ય કારણ બને છે. એટલા માટે તમારે દરરોજ વરિયાળીના બીજનું પાણી પીવું જોઇએ.
વરિયાળીના બીજ તમારા ચયાપચયને વધારવામાં મદદ કરે છે. આ આગળ વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળીની ચા અથવા પાણી પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે અસ્વસ્થ ભોજન ખાવાથી બચી શકો છો.