Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»તમામ મુસાફરો સુરક્ષિત ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ
    India

    તમામ મુસાફરો સુરક્ષિત ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આજે (સોમવારે) સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા રવાના થયેલી વંદે ભારત ટ્રેનની ઝ્ર૧૪ કોચમાં બેટરીના કારણે આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના ઝ્ર-૧૪ કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર ૨૦૧૭૧ ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે ૫.૪૦ વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીના સ્ટેશન પહેલા બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

    ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-૧૪માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી બેટરી બોક્સમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. બીના રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર વંદે ભારત ટ્રેનમાં કોંગ્રેસ નેતા અજય સિંહ, ૈંછજી અવિનાશ લાવાનિયા સહિત ઘણા લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી. મધ્યપ્રદેશના રાણી કમલાપતિ સ્ટેશન અને દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલનારી આ ટ્રેન મધ્ય પ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Asaduddin Owaisi: ઓવૈસીએ બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ

    December 29, 2025

    SIR: મતદાર યાદી સુધારણામાં મોટો ખુલાસો: NCRમાં લાખો મતદારો ASD અને અનમેપ્ડ છે

    December 27, 2025

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.