Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આઈએસઆઈ માટે કામ કરનારા સામે કાર્યવાહી આઈએસઆઈ-આતંકી માટે કામ કરતા ૩ અધિકારી સસ્પેન્ડ
    India

    આઈએસઆઈ માટે કામ કરનારા સામે કાર્યવાહી આઈએસઆઈ-આતંકી માટે કામ કરતા ૩ અધિકારી સસ્પેન્ડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ અને આતંકવાદીઓ માટે કામ કરનારા વિરુદ્ધ જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરવામાં આવ છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ મામલે ત્રણ અધિકરીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. તેમાં કાશ્મીર યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર ફહીમ અસલમ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફિસર મુરવત હુસૈન મીર અને પોલીસ કોન્સ્ટેબલ અરશદ અહેમદ થોકરના નામ સામેલ છે. હવે તેમની સામે યુએપીએહેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમના પર આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે.

    ગત સપ્તાહમાં જ પ્રતિબંધિત જૂથોને પુનર્જીવિત કરવાના ષડયંત્રના સંબંધમાં ૫૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી કેટલાક લોકો હોટલમાં મીટિંગ કરતા ઝડપાયા હતા. આ બેઠકોમાં ઘણા અલગતાવાદી નેતાઓ અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ ચૂકેલા લોકો સામેલ થયા હતા. પોલીસનું કહેવું છે કે આ લોકો જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હુર્રિયત જેવા પ્રતિબંધિત સંગઠનોને પુનર્જીવિત કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા લોકો પાકિસ્તાની આકાઓના ઈશારા પર કામ કરી રહ્યા હતા. તેઓ રાજ્યમાં અલગતાવાદી પ્રોપેગેન્ડા ફેલાવવામાં પણ સામેલ રહી ચૂક્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.