Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»જીએસટી લાગુ થયાના છ વર્ષમાં ૫૦૭૦ છેતરપિંડીના કેસ છ વર્ષમાં ૨૭,૪૨૬ કરોડની જીએસટીની ચોરી થઈ, રિકવરી માત્ર ૯૨૨ કરોડ
    India

    જીએસટી લાગુ થયાના છ વર્ષમાં ૫૦૭૦ છેતરપિંડીના કેસ છ વર્ષમાં ૨૭,૪૨૬ કરોડની જીએસટીની ચોરી થઈ, રિકવરી માત્ર ૯૨૨ કરોડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુડ્‌સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના ૬ વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં ૫,૦૭૦ જેટલાં છેતરપિંડીના કેસ પકડી પાડ્યા હતા જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) ક્લેમ કરવા માટે લોકોએ પાનકાર્ડ (પાન) અને આધારકાર્ડ (આધાર)ની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ ૫,૦૦૦ કેસમાં ૨૭,૪૨૬ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ભાંડાફોડ થયો છે.

    જાેકે મહત્ત્વનું તો એ છે કે છેલ્લા ૬ વર્ષોમાં રિકવરીનો આંકડો તો માત્ર ૯૨૨ કરોડ રુપિયાનો જ છે. આ આંકડા ૧ જુલાઈ ૨૦૧૭ (જીએસટીવ્યવસ્થાની શરૂઆત) અને ૩૦ જૂન, ૨૦૨૩ વચ્ચેના છે. રાજ્યની તુલના કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશન (જીએસટીરજિસ્ટ્રેશન)ના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ છે.

    અહીં ક્રમશઃ જીએસટી ચોરીના ૭૬૫, ૭૧૩ અને ૬૩૨ કેસ સામે આવ્યા છે.
    મહારાષ્ટ્રમાં ૩,૮૮૯ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી. જાેકે તેમાંથી ફક્ત ૧૭૧ કરોડ રૂપિયાની વસૂલી થઇ શકી છે. દિલ્હીમાં ૪,૩૨૬ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી. જાેકે વસૂલી ફક્ત ૧૫૯ કરોડ રૂપિયાની થઈ શકી હતી. તમિલનાડુમાં ૧,૮૭૭ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી અને વસૂલી ફક્ત ૪૪ કરોડ રૂપિયા થઇ શકી હતી. રસપ્રદ વાત તો એ છે કે ૧૬ મે ૨૦૨૩ થી ૯ જુલાઈ ૨૦૨૩ વચ્ચે સરકારે આશ્ચર્યજનક રીતે ૯,૩૬૯ ફેક કંપનીઓ/સંસ્થાનો પકડી પાડી હતી. સાથે જ ૧૦,૯૦૨ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો પણ ખુલાસો કર્યો હતો. જાેકે આ ફેક સંસ્થાનો પાસેથી ફક્ત ૪૫ કરોડ રૂપિયાની જ વસૂલી થઇ શકી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    એશિયાડમાં શુટિંગમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો એશિયાડમાં ભારતે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

    September 29, 2023

    મોતની ખાણ ૪ મજૂરોને ભરખી ગઈ સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

    September 29, 2023

    ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

    September 28, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version