મોંઘવારી અને બેરોજગારીના તમામ આંકડાઓ વચ્ચે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૦૫થી ૨૦૨૧ વચ્ચે ભારતમાં લગભગ ૪૧.૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હતા. ગ્લોબલ મલ્ટીડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સને ટાંકીને આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે જણાવે છે કે ભારત એ ૨૫ દેશોમાં સામેલ છે જેણે ૧૫ વર્ષમાં તેમના સ્ઁૈં મૂલ્યોને સફળતાપૂર્વક અડધું કરી દીધું છે. આ યાદીમાં ભારત સિવાય પણ ઘણા એવા દેશ છે જે સામેલ છે. યુએનના આ રિપોર્ટમાં પણ આ દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતની જેમ ગરીબી સૂચકાંકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા દેશોમાં ચીન, કંબોડિયા, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ જેવા દેશોનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૨ સુધી વિવિધ દેશોનું અલગ-અલગ રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ રિપોર્ટ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં કુલ ૮૧ દેશો સામેલ હતા.
આમાં ઘણી બાબતો જાેવા મળી હતી, જેમ કે લોકો તેમનું રોજિંદા જીવન કેવી રીતે જીવે છે, શિક્ષણ અને આરોગ્યની કેટલી પહોંચ છે, આવાસ, પીવાનું પાણી અને વીજળી જેવી સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતનો ઉલ્લેખ કરતા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૦૫/૨૦૦૬માં જ્યાં ૫૫% (લગભગ ૬૪.૪૫ કરોડ) લોકો ગરીબી રેખા નીચે હતા, ત્યાં વર્ષ ૨૦૧૯-૨૦૨૧ સુધીમાં આ સંખ્યા ઘટીને ૧૬% (૨૩ કરોડ) થઈ ગઈ. આ મુજબ ભારતમાં આ ૧૫ વર્ષમાં ૪૧.૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. જેના કારણે ગરીબી સૂચકાંકમાં ભારતનું પ્રદર્શન સુધર્યું છે. આ સિવાય યુએનના આ રિપોર્ટમાં કેટલાક વધુ આંકડાઓ પણ આપવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોષણથી વંચિત લોકો ૨૦૦૫-૦૬માં ૪૪% થી ઘટીને ૨૦૧૯/૨૧માં ૧૨% થઈ ગયા અને બાળ મૃત્યુદર ૪% થી ઘટી ગયો.
એવા લોકોની સંખ્યા કે જેઓ એટલા ગરીબ છે કે તેમની પાસે રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તે ૫૩% થી ઘટીને ૧૪% થઈ ગયો છે. તે જ સમયે, સ્વચ્છતાથી વંચિત લોકોની સંખ્યા ૫૦% થી ઘટીને ૧૧.૩% થઈ ગઈ છે. આ ૧૫ વર્ષમાં પીવાના પાણીથી વંચિત લોકોની સંખ્યા પણ ૧૬% થી ઘટીને ૩% થઈ ગઈ છે.
