Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પવિત્ર યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ હતી ૧૧ દિવસમાં એક લાખથી વધુ લોકોએ અમરનાથ યાત્રા કરી
    India

    પવિત્ર યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ હતી ૧૧ દિવસમાં એક લાખથી વધુ લોકોએ અમરનાથ યાત્રા કરી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમરનાથ યાત્રા ૧ જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા ૧૧ દિવસમાં ૧ લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે ૧૮ હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાની અંદર બીરાજમાન બર્ફાની બાબાના દર્શન કર્યા હતા.અમરનાથ યાત્રા ૧ જુલાઈથી શરુ થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખરાબ હવામાનને કારણે ત્રણ વાર સ્થગિત કરવામાં આવી હતી જાે કે હવે ફરીથી યાત્રાને શરુ કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં છેલ્લા ૧૧ દિવસમાં જ ૧.૩૭ લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથની યાત્રા કરી છે. આ સાથે જ સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર ગઈકાલે ૧૮ હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર અમરનાથ બાબાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત ૬ હજારથી વધુ શ્રદ્ધાળુઓનો બીજી ટુકડી આજે સવારે જમ્મુના ભગવતી નગરથી ગુફા તરફ રવાના થઈ હતી.

    અમરનાથ યાત્રિકને બહાર કાઢવા તેમજ ફસાયેલા વાહનો બહાર કાઢવા માટે આજે ટ્રાફિકને ખોલવામાં આવ્યો હતો. છેલ્લા ૪ દિવસથી જમ્મુ શ્રીનગર હાઈવે પર નાકાબંધીના કારણે યાત્રાળુઓ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. હવે યાત્રાળુઓને હિમાલયથી પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ પરથી ગુફા સુધી પહોંચી શકે છે. આ રુટ પર પહેલગામ બેઝ કેમ્પથી ૪૩ કિમીનો ટ્રેક તેમજ ઉત્તર કાશ્મીર બાલતાલ બેઝ કેમ્પથી ૧૩ કિમીનો ટ્રેક સામેલ છે. પહેલગામ માર્ગનો ઉપયોગ કરતા લોકો ગુફા મંદિર સુધી પહોંચવામાં ૩-૪ દિવસ સમય લાગે છે, જ્યારે બાલટાલ માર્ગનો ઉપયોગ કરતા લોકો તે જ દિવસે સમુદ્ર સપાટીથી ૩ હજારથી વધુ મીટર ઉપર સ્થિત ગુફા મંદિરની મુલાકાત લીધા બાદ બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.આ સિવાય અમરનાથ યાત્રાના બંને રૂટ પર મુસાફરો માટે હેલિકોપ્ટર સેવાઓ પણ ઉપલબ્ધ છે. આ વર્ષે ૬૨ દિવસ ચાલનારી અમરનાથ યાત્રા ૧ જુલાઈથી શરૂ થઈ હતી અને ૩૧ ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા પર્વ સાથે સમાપ્ત થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.