દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ બે લાખ ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,550 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1,02,44,853 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 286 લોકોના મોત થયા છે. આ સાથે, આ રોગથી મૃત્યુઆંક 1,48,439 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે બહાર પાડેલ આંકડા મુજબ, દેશમાં 2,62,272 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે એક રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 98,34,141 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 95.99 % થયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 લાખથી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા છે-
છેલ્લા 24 કલાકમાં દેશમાં 11 લાખથી વધુ કોરોના પરીક્ષણો થયા છે. આઇસીએમઆર ના જણાવ્યા અનુસાર, 29 ડિસેમ્બરે 11,20,281 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 17,09,22,030 પરીક્ષણો કરી લેવામાં આવ્યા છે.