Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»તાત્કાલિક કેબિનેટ મંત્રી દોડી આવ્યા જામનગરની ૪ સોસાયટીના રહીશોનો રોડ પર ચક્કાજામ
    Gujarat

    તાત્કાલિક કેબિનેટ મંત્રી દોડી આવ્યા જામનગરની ૪ સોસાયટીના રહીશોનો રોડ પર ચક્કાજામ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરના ગુલાબનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે ધારણા કર્યા અને નાળા પર બિલ્ડર દ્વારા કરવામાં આવેલ બાંધકામને દૂર કરવાની માંગ કરવામાં આવી.
    બે દિવસ પહેલા જામનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોના મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા ત્યારે ગઈકાલે ગુલાબનગરના નારાયણનગર, મોહનનગર સહિતની ચાર સોસાયટીઓના સ્થાનિકોએ વરસાદી પાણી ભરાવાના મુદ્દે જાહેર રોડ પર ચકાજામ કર્યો હતો અને સ્થાનિકોના રોષને લઈ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોકોની રજૂઆત સાંભળી હતી.

    બાદમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે મનપા ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી નાળા પરના દબાણો તાત્કાલિક દૂર કરવાની કડક સુચના આપી હતી છતાં પણ બાંધકામો દૂર કરવામાં આવ્યા નથી.
    આજરોજ ગુલાબનગરની ચાર સોસાયટીઓના સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે ઘરણાં કર્યા હતા અને માંગ કરી હતી કે આ સોસાયટીમાં આવેલ નાળા પર દિવાલ બનાવી બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય અને બિલ્ડર પોતાની જમીનમાં આવતું પાણી રોકવા માટે થઈને દીવાલ બનાવી હોય જે બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે અને આ બાંધકામને લીધે સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવી રજૂઆત અધિક નિવાસી કલેક્ટરને કરવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.