અમદાવાદ, 05 ડિસેમ્બર
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1510 થી વધુ નોંધાયા છે. જેની સામે 1627 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 18 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4049 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1510 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,15,819 થયો છે. તેની સામે 1,96,992 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,15,819ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,778 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,15,819 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,778 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 92 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,686 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,96,992 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4049 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 13 દર્દીના મૃત્યુ નોંધાયા છે.