અમદાવાદ,9 થી 11 ની સ્કૂલો હવે શરૂ થવાની છે. જેને લઇને હવે સંચાલક, વાલીઓ અને વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલો શરૂ કર્યા અગાઉ સ્કૂલમાં સાફ સફાઈ અને અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્કૂલ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને નિયમોનુ પાલન કરાવવામાં આવશે. તે માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. બીજી તરફ વાલીઓ દ્વારા પણ બાળકને સ્કૂલે મોકલવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે અને સંક્રમિત ના થાય તે માટે વાલીઓ બાળકને સમજાવી રહ્યા છે.
વાલીઓના મનમાં પણ કોરોનાનો ડર છે. પરંતુ સારું શિક્ષણ મળે તે માટે બાળકોને ઓફલાઇન સ્કૂલમાં મોકલશે. કોરોનાનો ડર તો છે, પરંતુ બાળકોને ભણવું જરૂરી છે. અત્યારે ઓનલાઇન શિક્ષણ ચાલે છે, તેના કરતાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે તો બાળકો વધુ સારી રીતે સમજી શકશે. બાળકો સ્કૂલમાં જાય ત્યારે, સ્કૂલ દ્વારા પણ નિયમોનું પાલન કરાવવા આવશે. પરંતુ બેઠક વ્યવસ્થા અને અન્ય સાવચેતી રાખવામાં આવે તો, બાળકોના હિતમાં રહેશે. વાલી પાસેથી ફરજીયાત સંમતિ પત્ર મેળવવામાં આવશે. સંમતિ પત્ર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. સંમતિ પત્ર વિનાના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. કોઈ પણ બાળકના શિક્ષણ પર અસર ના થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે.