કોરોના વાયરસે ફરી એકવાર જાણે કે ઉથલો મારી દીધો છે અને ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે,દિલ્હી માંતો માત્ર 24 કલાક માજ 99 લોકો ના કોરોના થી મોત થવા તે ખુબજ ગંભીર બાબત કહી શકાય.
અમદાવાદ, વડોદરા, રાજકોટ ,સુરત જેવા અગાઉ થીજ ટોપ લિસ્ટ માં રહેલા મહા નગરો માં પણ દૈનિક કેસો વધી રહ્યા છે અને જવાબદારો પોતાની ચામડી બચાવવા માટે સાચા આંકડા પણ જાહેર કરતા નથી તે ઘણા મીડિયા એ કરેલા સ્ટિંગ ઓપરેશન માં ખુલાસો થઈ ચૂક્યો છે.
આ નેતાઓ એ ઇલેક્શન આવવાનું હોવાથી કોરોના હવે ધીમો પડ્યો છે વગેરે નું રટણ ચાલુ રાખી પોતાનુ કામ કરી લીધું છે ,રેલીઓ ,ગરબા ,સભા એ બધું પત્યું એટલે કામ પૂરું થયુ બીજી તરફ આજ અરસા માં પોલીસ ને જનતા ની મેથી મારવા ખૂણે ખુણે ઉભા રાખી દઈ ભારે દંડ વસુલ કર્યો જયારે નેતા પોતે જ્યાં હોય ત્યાં પોતાના ટેકેદારો સાથે કોરોના ની ગાઈડ લાઈન તોડી એવું પુરવાર કરતા હતા કે જાણે તેઓ સ્પેશ્યલ માણસો છે અગાઉ અંગ્રેજો જે કરતા હતા તે હવે આ નેતાઓ એ દેખાડો કરવાનું ચાલુ કર્યું છે અને કલેક્ટર ના જાહેરનામા નો ભંગ કરી જેતે સમયે ભારે ઉપાડો લીધો હતો અને ઇલેક્શન બાદ તરત જ દિવાળી આવી ઠેરઠેર ભીડ ના દ્રશ્યો અને લોકો એ ખરીદી ઓછી કરી અને બજારો માં ફર્યા વધુ જેવો ઘાટ થતા હવે કોરોના વકર્યો છે હવે રાજકારણીઓ નું ચૂંટણી નું કામ પણ પૂરું થયું તેથી ફરી પાછા લોકડાઉન લાવે તેવી ચર્ચા ચાલુ થઈ ગઈ છે જોકે,લોકડાઉન નહિ તો એવું પાછું ભૂંગળુ ફિટ કરશે અને પોલીસ ને ડંડા લઈ ચોકડી ઉપર ઉભા રાખી દઈ કોરોના અને પોલીસ નો બેવડો માર અને ખાનગી હોસ્પિટલમાં બચત સાફ કરવાનો વારો ન આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને ઉપર મુજબ ની ચર્ચા જાહેર માં ચાલી રહી છે.